ભરૂચ: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા એકતા દોડ યોજાય

ભરૂચમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા એકતાદોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

ઉજવણીના ભાગરૂપે એકતા દોડ યોજાય

વહીવટી તંત્ર દ્વારા આયોજન

મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા

ભરૂચમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા એકતાદોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા

તારીખ 31મી ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે જેની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં કલેકટર કચેરીથી માતરીયા તળાવ સુધી એકતા દોડી યોજાય હતી જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેકટર તુષાર સુમેરા,જિલ્લા પોલીસવડા મયુર ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. એકતા દોડનું કલેક્ટરકચેરી ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે શક્તિનાનાથ સર્કલ થઈ પરત કલેકટર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી. આ એકતા દોડમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.