ભરૂચ: હાંસોટના સાહોલ ગામ નજીક કિમ નદી ઉફાન પર, સ્ટેટ હાઇવે બંધ

ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદીના પાણી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો

New Update

ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદીના પાણી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો.જેમાં હાંસોટ અને અંકલેશ્વર પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો ત્યારે હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કી નદીના જળસ્તરમાં વધારો થયો હતો.કીમ નદીના જળસ્તરમાં વધારો થતાં પાણી સાહોલ અને વડોલી ગામ વચ્ચે  માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેના પગલે અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે બંધ થઈ ગયો હતો. પાણી માર્ગ પરથી પસાર થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. આ તરફ કીમ નદી ઉફાન પર જોવા મળી હતી. કીમ નદીના કિનારે આવેલ સ્મશાન પણ જળમગ્ન થઈ ગયું હતું. તો નદીની આસપાસ આવેલા ઓભા આસરમાં સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળતા જનજીવન પર વ્યાપક અસર પહોંચી હતી
Read the Next Article

ભરૂચ : લિંક રોડ સ્થિત સંકટમોચન હનુમાનજી મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ, સિક્યુરિટીની સજાગતાના પગલે તસ્કરો ફરાર...

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો

New Update
Sankatmochan Hanumanji temple

ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. મળતી માહિતી મુજબભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના લગભગ 3:00થી 3:30 દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકશો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતોત્યારે નજીકની એચડીએફસી બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો ભયભીત થઈ ગયા હતાઅને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ રાખી દીધા હતા.

આ સાથે જ લાવેલા હથિયાર કુવાડીહથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મુકી નાસી છૂટ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચ એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેલગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતીત્યારે હાલ પોલીસ દ્વારા પેટ્રોલીંગની કામગીરીમાં વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.