ભરૂચ : પ્રથમ નોરતે દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે ઉમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર…

આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

New Update

આજથી નવરાત્રિ મહોત્સવનો થઈ રહ્યો છે પ્રારંભ

શક્તિપીઠ અંબાજી મંદિરનો ભક્તોમાં અનેરો મહિમા

દાંડિયા બજારમાં અંબાજી મંદિરે ઘોડાપૂર ઉમટ્યું

માઁ અંબાના દર્શન કરી માઈભક્તો ખૂબ ધન્ય થયા

અંબાજી મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છેત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આજથી શરૂ થતી નવરાત્રિના પ્રથમ દિવસે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતાજ્યાં માઁ અંબાના દર્શન કરી માઈભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભરૂચમાં માઈભક્તોના આસ્થાના કેન્દ્રસમા દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ  નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છેત્યારે આજથી શરૂ થતી નવરાત્રીના પ્રથમ નોરતે અંબાજી માતાના મંદિરે માઈભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે પહોચ્યું હતું. આ સાથે જ અંબાજી મંદિરે નવરાત્રિના નવે નવ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories