ભરૂચ: ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો

ભરૂચ ઝાડેશ્વર ગામ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું હતું.

New Update
  • ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આયોજન

  • ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે કેમ્પ યોજાયો

  • વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન

  • 250થી વધુ વયસ્ક નાગરિકોએ લીધો લાભ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચના ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે  ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો
ભરૂચ ઝાડેશ્વર ગામ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગના ઝાડેશ્વર અર્બન હેલ્થ સેન્ટર ખાતે 70થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં 250 થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઇ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા.આ પ્રસંગે કેમ્પમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ,સંદીપ પટેલ,બ્રિજેશ પટેલ ગામના અગ્રણીઓ આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.