ભરૂચ: બાર એસો.નો નિર્ણય, ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે

ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ભરૂચ બાર એસોસિએશનએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં કોઈપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે.

New Update
  • ઝઘડિયા ચકચારી રેપ કેસ

  • ભરૂચ બાર એસો.દ્વારા લેવાયો નિર્ણય

  • આરોપીનો કેસ નહીં લડવામાં આવે

  • કોઈ પણ વકીલ આ કેસ નહીં લડે

  • પોલીસે તપાસનો પણ ધમધમાટ

ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ભરૂચ બાર એસોસિએશનએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં કોઈપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે.

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચરકચારી ઘટના બની હતી જેમાં નરાધમ  આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દીધી હતી અને દુષ્કર્મ સાથે બાળકીને ગુપ્તાંગમાં સળીયો પણ નાખ્યો હતો જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ભરૂચ બાર એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે નરાધમે વિકૃતિની જે હદ વટાવી દીધી હતી તે જોતા ભરૂચ બાર એસોસિએશનના કોઈપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે અને તેને બચાવવા માટે આગળ નહીં આવે.

ભરૂચ પોલીસ દ્વારા પણ હવે આ મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હવે સંયોગી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે ડીવાયએસપી ડોક્ટર કુશળ ઊર્જાના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ઝડપથી થાય તે માટેના પ્રયાસો કરી રહી છે
Latest Stories