ભરૂચ: બાર એસો.નો નિર્ણય, ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે

ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ભરૂચ બાર એસોસિએશનએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં કોઈપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે.

New Update
  • ઝઘડિયા ચકચારી રેપ કેસ

  • ભરૂચ બાર એસો.દ્વારા લેવાયો નિર્ણય

  • આરોપીનો કેસ નહીં લડવામાં આવે

  • કોઈ પણ વકીલ આ કેસ નહીં લડે

  • પોલીસે તપાસનો પણ ધમધમાટ

ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ભરૂચ બાર એસોસિએશનએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં કોઈપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે.

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચરકચારી ઘટના બની હતી જેમાં નરાધમ  આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દીધી હતી અને દુષ્કર્મ સાથે બાળકીને ગુપ્તાંગમાં સળીયો પણ નાખ્યો હતો જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે ભરૂચ બાર એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે નરાધમે વિકૃતિની જે હદ વટાવી દીધી હતી તે જોતા ભરૂચ બાર એસોસિએશનના કોઈપણ વકીલ આરોપી તરફે કેસ નહિ લડે અને તેને બચાવવા માટે આગળ નહીં આવે.

ભરૂચ પોલીસ દ્વારા પણ હવે આ મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હવે સંયોગી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે ડીવાયએસપી ડોક્ટર કુશળ ઊર્જાના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ઝડપથી થાય તે માટેના પ્રયાસો કરી રહી છે
Read the Next Article

ભરૂચ : વાલિયા લોકેશનની 108 ઇમરજન્સી ટીમની ઉત્કૃષ્ટ કામગીરી, દર્દીની રોકડ રકમ અને ATM કાર્ડ પરત કર્યા

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે. તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક

New Update
IMG-20250812-WA0253

ભરૂચના વાલિયાની 108 એમ્બ્યુલન્સ ટીમે તાકીદની સેવા સાથે પ્રામાણિકતાનો અનોખો દાખલો આપી પ્રશંસા મેળવી છે.

તાજેતરમાં અંકલેશ્વર પાસે પ્રતીન ચોકડી નજીક અકસ્માતનો કોલ મળતાં જ વાલિયા 108 લોકેશન પર ફરજ બજાવતા EMT નિલમ પટેલ અને પાયલોટ મોહનલાલ વસાવાએ વિલંબ કર્યા વિના જરૂરી તૈયારી કરી સ્થળ પર દોડી ગયા ત્યાં પહોંચીને તેમણે બેભાન હાલતમાં એક વ્યક્તિને તાત્કાલિક સારવાર આપી એમ્બ્યુલન્સ મારફતે ઝડપથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. 
સારવાર દરમ્યાન દર્દી પાસે આશરે ₹10,860 રોકડ અને એટીએમ કાર્ડ મળ્યું હતી.જે અંગે ફરજ પરના સ્ટાફે તરત જ દર્દીના સગાંઓને જાણ કરી 12 ઑગસ્ટ 2025ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરથી આવેલા દર્દીના સગાઓને રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ પરત આપ્યા હતા. આ ઘટનાથી વાલિયા 2 લોકેશનની 108 એમ્બ્યુલન્સ ટીમે માત્ર સેવા જ નહીં, પણ પ્રામાણિકતાનો પણ ઉત્તમ સંદેશ આપ્યો છે.