ભરૂચ: વકફ બીલના વિરોધમાં બત્તી ગુલ કાર્યક્રમ, પશ્ચિમ વિસ્તારમાં અંધારપટ !

ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ વકફ કાયદાના વિરોધમાં તેઓના નિવાસ્થાન તેમજ દુકાનોની લાઈટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો

New Update
  • વકફ કાયદાનો વિરોધ

  • ભરૂચમાં વિરોધ કરવામાં આવ્યો

  • બત્તી ગુલ કાર્યક્રમ યોજાયો

  • મુસ્લિમ સમાજના લોકોએ 15 મિનિટ લાઈટ બંધ રાખી

  • વકફ કાયદા પર પુન: વિચાર કરવાની માંગ

કેન્દ્ર સરકારના કાયદાના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી ભરૂચમાં મુસ્લિમ સમાજે ગતરોજ રાત્રિના 15 મિનિટ સુધી લાઈટ બંધ રાખી હતી જેના પગલે પશ્ચિમ વિસ્તારમાં અંદરપટ જેવો માહોલ જોવા મળ્યો હતો
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ વકફ કાયદાનો હજુ પણ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જેના ભાગરૂપે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ આ કાયદાના વિરોધમાં ગતરોજ રાત્રીના 9 વાગ્યાથી 9 15 સુધી તેઓના નિવાસ્થાન તેમજ દુકાનોની લાઈટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે પશ્ચિમ વિસ્તારમાં અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો હતો.
મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા બહુમતીના જોરે વકફ કાયદો લાવવામાં આવ્યો છે જે લોકોના સંવિધાનીય અધિકારોનું હનન છે ત્યારે આ કાયદા પર પુનઃ વિચાર કરવાની મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.