ભરૂચ: હેલમેટ ન પહેર્યું હોય તો રૂ.500નો દંડ ભરવા તૈયાર રહેજો, પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી

ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.  હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.

New Update

ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસનો સપાટો, આજથી જિલ્લા હેલમેટ ફરજિયાત કરાયુ

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે હવે ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશીયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

આજથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ભરૂચમાં ઝાડેશ્વર ચોકડી નજીક ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરિયા સહિતના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઈક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ન પહેરનાર ટુ વહીલર ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. હેલ્મેટ ન પહેનાર ટુવિલર ચાલકક પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.

પોલીસની કામગીરીના કારણે ટુવહીલ ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે જેના પગલે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસવડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમરકસી છે.

Read the Next Article

ભરૂચ: આમોદ-જંબુસરને જોડતો જર્જરીત બ્રિજ મોટા વાહનો માટે બંધ,કલેકટર ગૌરાંગ મકવાણાએ કર્યું સ્થળ નિરીક્ષણ

આમોદ-જંબુસરને જોડતો જર્જરીત બ્રિજને તાત્કાલિક અસરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે

New Update
  • ભરૂચના આમોદ જંબુસર વચ્ચે આવેલો છે બ્રિજ

  • ઢાઢર નદી પરનો બ્રિજ છે જર્જરીત હાલતમાં

  • કલેકટરે બ્રિજની લીધી મુલાકાત

  • બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

  • યુદ્ધના ધોરણે સમારકામ કરાશે

ભરૂચના જંબુસર થી આમોદને જોડતા ઢાઢર નદી પરના જર્જરીત બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે જ કલેકટર ગૌરાંગ મકવાણાએ પણ જર્જરીત બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

તાજેતરમાં જ વડોદરા આણંદ વચ્ચે આવેલ મહીસાગર નદી પરનો બ્રિજ ધારાશાયી થઈ જતા 19 જેટલા લોકોના મોત નિપજ્યા છે ત્યારે ભરૂચના આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો બ્રિજ પણ અત્યંત જર્જરીત હાલતમાં હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા. આ બાદ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે કલેકટર ગૌરાંગ મકવાણાએ આજરોજ બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.

અધિકારીઓ પાસે બ્રિજની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી ત્યારબાદ તાત્કાલિક અસરથી આ બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે. મોટા વાહનો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજ બંધ રહેશે તે દરમિયાન યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે જર્જરીત બ્રિજની ગંભીરતા સમજી કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.