ભરૂચ : આમોદમાં આયોજિત સામૈયા પૂર્વે પ્રબોધજીવન સ્વામીએ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી…

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આગામી તા. 5મી જાન્યુઆરીએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત સામૈયા મહોત્સવ નિમિત્તે પ્રબોધજીવન સ્વામીએ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી હતી.

New Update
  • આમોદ નગરમાં આગામી તા. 5મી જાન્યુઆરીએ આયોજન

  • સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સામૈયા મહોત્સવનું આયોજન

  • પ્રબોધજીવન સ્વામીએ લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કર્યા

  • સ્વામીએ તમામ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી

  • સામૈયા મહોત્સવમાં પધારવા સૌકોઈને આમંત્રણ પાઠવાયું

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આગામી તા. 5મી જાન્યુઆરીએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત સામૈયા મહોત્સવ નિમિત્તે પ્રબોધજીવન સ્વામીએ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી હતી.

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આગામી તા. 5મી જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય સામૈયા મહોત્સવ નિમિત્તે હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસદાર પ્રબોધજીવન સ્વામીએ કાછીયાવાડ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન બાદ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી ઠાકોરજીનું પૂજન કર્યુ હતું. અમરીશ ભક્તોએ સ્વામીજીનું આતશબાજી તેમજ પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. કાછીયાવાડમાં બનેલા નવા સત્સંગ હોલમાં પણ સ્વામીજીએ પધરામણી કરી કરી હતી. સ્વામીજીની પધરામણીથી ભક્તો રાજીના રેડ થઈ ગયા હતા. ભક્તોનો અપાર સ્નેહ જોઇ સ્વામીએ રાજીપો વ્યક્ત કરી રૂડા આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ આમોદના સ્થાનિક સંદીપ પટેલે આગામી તા. 5મી જાન્યુઆરીએ આયોજિત ભવ્ય સામૈયા મહોત્સવમાં પધારવા સૌકોઈને આમંત્રણ પાઠવ્યું હતું.

Read the Next Article

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક

author-image
By Connect Gujarat Desk
New Update
WhatsApp Image 2025-06-23 at 2.33.37 PM (1)
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી. 
Latest Stories