-
આમોદ નગરમાં આગામી તા. 5મી જાન્યુઆરીએ આયોજન
-
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સામૈયા મહોત્સવનું આયોજન
-
પ્રબોધજીવન સ્વામીએ લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન કર્યા
-
સ્વામીએ તમામ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી
-
સામૈયા મહોત્સવમાં પધારવા સૌકોઈને આમંત્રણ પાઠવાયું
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં આગામી તા. 5મી જાન્યુઆરીએ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત સામૈયા મહોત્સવ નિમિત્તે પ્રબોધજીવન સ્વામીએ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આગામી તા. 5મી જાન્યુઆરીએ યોજાનારા ભવ્ય સામૈયા મહોત્સવ નિમિત્તે હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસદાર પ્રબોધજીવન સ્વામીએ કાછીયાવાડ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરે દર્શન બાદ અમરીશ ભક્તોના ઘરે ઘરે પધરામણી કરી ઠાકોરજીનું પૂજન કર્યુ હતું. અમરીશ ભક્તોએ સ્વામીજીનું આતશબાજી તેમજ પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. કાછીયાવાડમાં બનેલા નવા સત્સંગ હોલમાં પણ સ્વામીજીએ પધરામણી કરી કરી હતી. સ્વામીજીની પધરામણીથી ભક્તો રાજીના રેડ થઈ ગયા હતા. ભક્તોનો અપાર સ્નેહ જોઇ સ્વામીએ રાજીપો વ્યક્ત કરી રૂડા આશીર્વાદ આપ્યા હતા. આ સાથે જ આમોદના સ્થાનિક સંદીપ પટેલે આગામી તા. 5મી જાન્યુઆરીએ આયોજિત ભવ્ય સામૈયા મહોત્સવમાં પધારવા સૌકોઈને આમંત્રણ પાઠવ્યું હતું.