ભરૂચ: કોંગ્રેસ-આપમાં મોટું ભંગાણ, 97 કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો

આજરોજ આંબેડકર જયંતીના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

New Update
  • ભરૂચ કોંગ્રેસ- આપમાં મોટું ભંગાણ

  • કાર્યકરોએ કોંગ્રેસ સાથે ફાડયો છેડો

  • કોંગ્રેસ-આપના 97 કાર્યકરો ભાજપમાં જોડાયા

  • જિલ્લા ભાજપ કાર્યાલય પર યોજાયો કાર્યક્રમ

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આપ્યો આવકાર

ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. 97 જેટલા કાર્યકરોએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો
આજરોજ આંબેડકર જયંતીના દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 97 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધીરેન કટારીયા સહિતના આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો છે.અત્રે ઉલ્લેખની છે કે થોડા દિવસ અગાઉ હિન્દુ સંગઠનો સાથે સંકળાયેલ સેજલ દેસાઈએ 50થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીના 80 તો કોંગ્રેસના 17 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.