ભરૂચ : BAPS  સ્વામિનારાયણ મંદિર-જંબુસર ખાતે ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલન યોજાયું...

જંબુસરમાં BAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અઘ્યક્ષસ્થાને ૧૫૦-જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું

New Update
  • જંબુસર સ્થિત BAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન

  • ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયું આયોજન

  • ભરૂચ ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા

 ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત BAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસરમાં BAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અઘ્યક્ષસ્થાને ૧૫૦-જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતુંજ્યાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે આવેલા ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીજીલ્લા પ્રભારી અશોક પટેલમહામંત્રી ફતેસિંહ ગોહિલધારાસભ્ય ડી.કે.સ્વામીપૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાજંબુસર શહેર ભાજપ પ્રમુખ મનન પટેલતાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.