ભરૂચ : BAPS  સ્વામિનારાયણ મંદિર-જંબુસર ખાતે ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલન યોજાયું...

જંબુસરમાં BAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અઘ્યક્ષસ્થાને ૧૫૦-જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું

New Update
  • જંબુસર સ્થિતBAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન

  • ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાયું આયોજન

  • ભરૂચ ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું

  • મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિતBAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસરમાંBAPS  સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અઘ્યક્ષસ્થાને ૧૫૦-જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતુંજ્યાં મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે આવેલા ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીજીલ્લા પ્રભારી અશોક પટેલમહામંત્રી ફતેસિંહ ગોહિલધારાસભ્ય ડી.કે.સ્વામીપૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાજંબુસર શહેર ભાજપ પ્રમુખ મનન પટેલતાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવસહિત મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.