ભરૂચ:ભાજપનું નવું કાર્યાલય શ્રી કમલમ રૂ.6.50 કરોડના ખર્ચે નિર્માણ પામશે, CR પાટીલના હસ્તે ખાતમુર્હુત

ભરૂચના મઢુલી સર્કલ નજીક રૂપિયા 6.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ જિલ્લા ભાજપનું નવું કાર્યાલય પામશે નિર્માણ

  • મઢુલી સર્કલ નજીક શ્રી કમલમ નિર્માણ પામશે

  • ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખાતર્મુહુત

  • રૂ.6.50 કરોડના ખર્ચે કાર્યાલયનું કરાશે નિર્માણ

  • આગેવાનો અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ભરૂચના મઢુલી સર્કલ નજીક રૂપિયા 6.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ભરૂચની મઢુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલના હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતર્મુહુત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ,અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી,રિતેશ વસાવા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભાજપના નવા કાર્યાલયનું નિર્મામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચમાં 20 હજાર સ્કવેર ફૂટમાં રૂ.6.50 કરોડના ખર્ચે ભાજપનું નવું કાર્યાલય નિર્માણ પામશે. પ્રદેશ ભાજપનું જે કાર્યાલય છે એ થીમ આધારિત અત્યાધુનિક કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે આ પ્રસંગે ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચારી દુષ્કર્મ કેસ અંગે પણ નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે તમામ તકેદારી રાખી છે અને કોર્ટમાંથી આરોપીને કડક સજા મળશે.
Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.