ભરૂચ : શ્રી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાય, મોટી સંખ્યામાં રક્તદાતાઓની ઉપસ્થિતિ...

ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ જવાહરનગર સોસાયટી સ્થિત શ્રી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરતી શિબિર

  • શ્રી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિર યોજાય

  • જનરલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોનો સાંપડ્યો સહયોગ

  • રક્તદાન શિબિરમાં 100થી વધુ રક્ત યુનિટ એકત્ર કરાયું

  • મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ જવાહરનગર સોસાયટી સ્થિત શ્રી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડો. કિરણ સી. પટેલ મેડીકલ કૉલેજ અને રિસર્ચ ઈન્સ્ટીટયુટ ભરૂચ જનરલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોના સહયોગથી ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ જવાહરનગર સોસાયટી સ્થિત શ્રી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા રક્તદાન શિબિરનંન આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરતી સમગ્ર રક્તદાન શિબિરમાં 100થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ,શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ભરૂચ જિલ્લા પ્રમુખ હરિશ ચૌહાણકન્વીનર વિજયકુમાર આચાર્ય સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.