ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો,પોલીસ તપાસ શરૂ

યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરલાઈનમાંથી મળી આવ્યો

New Update

ભરૂચ સિવિલ હોસ્પિટલનો બનાવ

ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

યુવાન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં હતો દાખલ

માનસિક સંતુલન ગુમાવતા ગટરમાં પડી જતા મોત નિપજ્યું હોવાનું અનુમાન

એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરમાંથી યુવાનનો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ તાલુકાના કંથારીયા ગામ ખાતે રહેતા 28 વર્ષીય છત્રસિંહ વસાવા નામના યુવાનને થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરલાઈનમાંથી મળી આવ્યો હતો.
આ અંગેની જાણ હોસ્પિટલ પ્રશાસનને થતા તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર યુવાને બીમારી દરમિયાન માનસિક સંતુલન ગુમાવ્યું હતું ત્યારે ગટરમાં પડી જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે બનાવની વધુ તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.