ભરૂચ: આતંકી હુમલાના પગલે પહેલગામ,અમરનાથ અને ચારધામ યાત્રાના બુકીંગ રદ્દ !

ભરૂચ જિલ્લામાંથી ચારધામ અને અમરનાથ યાત્રાએ જનાર અનેક યાત્રાઓએ તેમની યાત્રા મોકૂફ રાખી છે ત્યારે ટ્રાવેલ્સ સંચાલકોને મોટો ફટકો પડ્યો છે.

New Update
  • ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ

  • પ્રવાસન ઉદ્યોગને પડ્યો ફટકો

  • અમરનાથ યાત્રાના અનેક બુકીંગ રદ્દ

  • ચારધામ યાત્રાના પણ બુકીંગ રદ્દ થયા

  • લોકોમાં ડરનો માહોલ

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો છે. ભરૂચ જિલ્લામાંથી ચારધામ અને અમરનાથ યાત્રાએ જનાર અનેક યાત્રાઓએ તેમની યાત્રા મોકૂફ રાખી છે ત્યારે ટ્રાવેલ્સ સંચાલકોને મોટો ફટકો પડ્યો છે.
ભરૂચ જિલ્લાના યાત્રાળુઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પર્યટકો પર થયેલા આતંકી હુમલાની પૃષ્ઠભૂમિમાં સુરક્ષા કારણોસર તેમના પ્રવાસ રદ કરવાનું નક્કી કર્યું છે. ભરૂચથી પહેલગામ માટે નીકળેલા 700 યાત્રિકોએ પોતાનો પ્રવાસ રદ કર્યો હતો આ ઉપરાંત દર વર્ષે ભરૂચમાંથી સરેરાશ 1500થી વધુ યાત્રિકો અમરનાથ અને ચારધામ યાત્રાએ જતાં હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તમામ પ્રવાસો અટકાવવામાં આવ્યા છે.
ભારત સરકારે આતંકી હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે. આતંકવાદીઓના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે  પ્રવાસીઓની સલામતીને પ્રાથમિકતા આપી ભરૂચના અનેક ટ્રાવેલ્સ સંચાલકોએ યાત્રાઓ રદ કરી દીધી છે જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
Read the Next Article

ભરૂચ: મામલતદાર કચેરીમાં રૂ.25 લાખના ખર્ચે નિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન, 95 ગામના લોકોનો મળશે લાભ

જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે

New Update
  • ભરૂચ મામલતદાર કચેરીમાં નિર્માણ કરાયુ

  • જન સેવા કેન્દ્રનું નવીનીકરણ કરાયુ

  • રૂ.25 લાખનો ખર્ચ કરાયો

  • મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન

  • 95 ગામના લોકોને થશે લાભ

ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંmઆ પ્રસંગે મહાનુભાવોએ હાજરી આપી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટના સરળીકરણ માટે દરેક તાલુકા મથકોએ જનસેવા કેન્દ્ર કાર્યરત છે ત્યારે ભરૂચ મામલતદાર કચેરી ખાતે રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ કોર્પોરેટ કક્ષાના જનસેવા કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક કલેકટર એન. આર. ધાંધલ, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ જનસેવા કેન્દ્રમાં રાજ્ય સરકારની 600થી વધુ યોજનાઓ લોકો સુધી સરળ રીતે પહોંચે તે માટે કામ કરાશે.આ ઉપરાંત ભરૂચ તાલુકાના 95 જેટલા ગામના લોકોને જનસેવા કેન્દ્રનો લાભ થશે