ભરૂચ: કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાનો મામલો, પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવકના પરિવારજનો સાથે કરી મુલાકાત

ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી

New Update
  • ભરૂચના કવિઠા ગામે બન્યો હતો બનાવ

  • યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો

  • પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ

  • પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને પરિવારજનો સાથે કરી મુલાકાત

  • ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી
ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ  પોલીસના ત્રાસથી  આપઘાત કર્યો હોવાના  આક્ષેપ થયા હતા જેમાં સાંસદ મનસુખ વસાવાએવિરોધ નોંધાવ્યા બાદ આ મામલે  પોલીસે નબીપુર પોલીસ મથકના પી.આઇ. સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે આજરોજ મુલાકાત કરી હતી.કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારઘી, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા આગેવાન શેરખાન પઠાણ અને ધનરાજ વસાવા સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.કોંગ્રેસે જવાબદાર પોલીસકર્મીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી.કોંગ્રેસે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસીઓ પર અવારનવાર અત્યાચાર થાય છે ત્યારે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.