New Update
ભરૂચના જંબુસરનો બનાવ
નવયુગ વિદ્યાલયમાં આચાર્યએ શિક્ષકને માર્યો માર
18 લાફા ઝીંકી દીધા
સમગ્ર ઘટનાના સીસીટીવી બહાર આવ્યા
જિલ્લાશિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ
ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયના આચાર્યએ શિક્ષકને માર મારતા વિવાદ સર્જાયો છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે જિલ્લાશિક્ષણાધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
ભરૂચ જંબુસરની નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે સર્જાયેલ ઢીસુમ ઢીસુમના દ્રશ્યોનો વાયરલ વિડીયો સામે આવ્યો છે.આચાર્ય શિક્ષકને એક, બે, દસ કે 15 નહીં પણ 18 તમાચા ઝીકતો વાયરલ વીડિયોમાં નજરે પડી રહ્યા છે. વાયરલ વિડીયો મુજબ આ વાત છે. જંબુસરની નવયુગ વિદ્યાલયની. શાળાના જ સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે.આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમારને દે ધના ધન લાફા વાળી કરાઈ છે. શિક્ષક તેઓના વિષયમાં વ્યવસ્થિત અભ્યાસ ન કરાવતા હોવાની વાતને લઈ બોલાચાલી થઈ હોવાનું હાલ તો બહાર આવી રહ્યું છે.સાથે જ શિક્ષક રાજેન્દ્ર હંમેશા ઉદ્ધત વર્તન કરતા હોવાની રજુઆત પણ આચાર્ય કરી રહ્યાં છે. હાલ તો આ તમાચાવાળીનો વિડીયો વાયરલ થવા બાદ ભરૂચ જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલે તપાસના આદેશ આપ્યા છે. એજ્યુકેશન ઇન્સ્પેકટર તપાસ ચલાવી રિપોર્ટ સુપરત કર્યા બાદ ઘટના અંગે પગલાં ભરાશે.