ભરૂચ : સિટી સેન્ટર-એસટી. ડેપો ખાતે એસટી. વિભાગના કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો…

ભરૂચ શહેરના સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી. ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એસટી. વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી. ડેપો ખાતે આયોજન

Advertisment

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

એસટી. વિભાગના કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

કર્મચારીઓનું આરોગ્ય વધુ સ્વસ્થ રહે તે હેતુથી આયોજન

મોટી સંખ્યામાં એસટી. કર્મચારીઓએ કેમ્પનો લાભ લીધો

ભરૂચ શહેરના સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી. ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એસટી. વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી. ડેપો ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસટી. વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ સફાઈકર્મીઓનું આરોગ્ય વધુ સ્વસ્થ રહે તે હેતુથી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ પોતાની સેવા આપી હતી. જેમાં કર્મચારીઓના બ્લડપ્રેસરડાયાબિટીસ ચેકઅપ સહિત આંખ અને કાનની તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત મોટી સંખ્યામાં એસટી. વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment