-
રેલવે યાત્રીનો જીવ બચાવતી 108ની ટીમ
-
ચાલુ ટ્રેનમાંથી અજાણ્યો યાત્રી બ્રિજમાં પડ્યો હતો
-
બ્રિજમાં ફસાયેલા યાત્રીને પહોંચી હતી ગંભીર ઇજા
-
ઇજાગ્રસ્તને રેલવે કર્મચારીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યો
-
108ની ટીમે દર્દીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડ્યો
ભરૂચમાં ટ્રેનમાંથી એક અજાણ્યો વ્યક્તિ સિલ્વર બ્રિજમાં પડી જતા ફસાઈ ગયો હતો,ઈજાગ્રસ્ત આ યાત્રીને 108ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચ 108 ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સને ભરૂચ રેલવે સ્ટેશનનો એક્સિડન્ટનો કેસ મળ્યો હતો.જેમાં મળેલ માહિતી મુજબ કોઈ અજાણ્યો ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ હતો.આમ મળેલી માહિતી મુજબ જરૂરી તૈયારી કરી સ્પાઈન બોર્ડ તથા ડ્રેસિંગનો સામાન લઈ દર્દી સુધી પહોંચ્યા હતા.ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા મૈયા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો.જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
જ્યાં પહોંચી દર્દીને તપાસતા અને પગમાં અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી.જે માટે અમદાવાદ સ્થિત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયનના ડોક્ટરની સલાહ મુજબ જરૂરી મેડિસિન સાથે ડ્રેસિંગ કરી દર્દીને સ્પાઈન બોર્ડ પર લઈ એમ્બ્યુલન્સ સુધી લઈને આવ્યા હતા અને ત્યારબાદ જરૂરી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.