ભરૂચ: એક્સપ્રેસ હાઇવે પર આમોદના માતર ટોલ પ્લાઝા પર ટોલટેક્સના વધુ રૂપિયા કપાતા હોવાની ફરિયાદ !

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદના માટે ટોલ પ્લાઝા પર વાહન ચાલકોના ટોલ ટેક્સના વધુ પૈસા કપાતા હોવાની ફરિયાદ ઉઠી છે આ મામલે વાહન ચાલકોએ તપાસની માંગ કરી છે.

New Update
  • દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવેના ટોલપ્લાઝાનો વિવાદ

  • ભરૂચના માતર ગામ નજીક આવેલું છે ટોલપ્લાઝા

  • વાહનચાલકોના ટોલટેક્સના વધુ રૂપિયા કપાતા હોવાની ફરિયાદ

  • અધિકારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ

  • આ મામલે તપાસની વાહનચાલકોની માંગ

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદના માટે ટોલ પ્લાઝા પર વાહન ચાલકોના ટોલ ટેક્સના વધુ પૈસા કપાતા હોવાની ફરિયાદ ઉઠી છે આ મામલે વાહન ચાલકોએ તપાસની માંગ કરી છે.
ભરૂચના આમોદ તાલુકાના માતર ગામ પાસે થી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના ટોલ પલઝાના કારણે આસપાસના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વાહનચાલકોના આક્ષેપ અનુસાર માતર ગામ સ્થિત એક્સપ્રેસ વેના  ટોલ પ્લાઝા  પર  ટોલટેક્સના પૈસા  ડબલ વાર કપાય છે અને રૂપિયા ડેબિટ થયાનો મેસેજ બે દિવસ પછી આવે છે. કેટલીય ગાડી માતર ટોલ પ્લાઝા પરથી એક્ઝિટ થાય છે તો પણ દેહગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસુલવામાં આવે છે. આ અંગે વાહનચાલકોના જણાવ્યા અનુસાર  ટોલ પ્લાઝા પર આ મામલે રજુઆત કરવામાં આવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે બેંકની ટેક્નિકલ ખામીના કારણે આ મુશ્કેલી સર્જાય રહી છે.આ તરફ બેન્કમાંથી પણ યોગ્ય જવાબ ન મળતા NHAIમાં રજુઆત કરવામાં આવી હતી ત્યારે જવાબદાર અધિકારી દ્વારા આમોદ તાલુકાના માતર ટોલ પ્લાઝા પર ટેક્નિકલ ખામી છે કે કૌભાંડએ તપાસ કરવામાં આવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.