ભરૂચ: પ્લેન ક્રેશની દુર્ઘટનાના મૃતકોને કોંગ્રેસ-મુસ્લિમ સમાજના આગેવાનો શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકો પ્રત્યે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • પ્લેન ક્રેશના મૃતકોને અપાય શ્રદ્ધાંજલિ

  • કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું આયોજન

  • મુસ્લિમ સમાજે પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

  • પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

અમદાવાદમાં બેનલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃતકોને ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકો પ્રત્યે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન પાસે સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બે મિનિટ મૌન પાળી મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, પ્રવક્તા નાઝુ ફડવાલા,  વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને  મૃતકના પરિવારજનોને પ્રભુ ધૈર્ય અને શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ તરફ અમદાવાદ ખાતે Air India વિમાની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને  ભરૂચમાં ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આગેવાન અબ્દુલ કામઠીના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને રહીશોએ મીણબત્તી પ્રગટાવી શોક વ્યક્ત કર્યો હતો. દુર્ઘટનામાં મોતને ભેટેલા  મુસાફરો માટે દુઆ તથા સવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.