New Update
-
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ
-
સ્વ.રાજીવ ગાંધીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
-
આજે સ્વ.રાજીવ ગાંધીની છે પુણ્યતિથિ
-
કોંગ્રેસનાં આગેવાનો રહ્યા હાજર
-
રાજીવ ગાંધીના કાર્યોને યાદ કરાયા
દેશના પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હતા
ભારતમાં કમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટયાં હતાં. આધુનિક ભારતના શિલ્પી સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વ.રાજીવ ગાંધીને ડીજીટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર સિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સ્વ.રાજીવ ગાંધીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા