ભરૂચ: ભાજપમાં હોદ્દેદારોની નિમણુંકને લઈ વિવાદ યથાવત, મનસુખ વસાવાની નારાજગી બાદ કાર્યકરોએ ભાજપ પ્રમુખને કરી રજુઆત

ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્ત્વના હોદ્દાઓ સોપવામાં આવ્યા

New Update
  • ભરૂચ ભાજપમાં આંતરીક વિવાદ

  • હોદ્દેદારોની નિમણુંકને લઈ અસંતોષ

  • કાર્યકરોએ ભાજપ પ્રમુખને કરી રજુઆત

  • સાંસદ મનસુખ વસાવાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી

  • જુના જોગીઓની અવગણના કરાય હોવાના આક્ષેપ

ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સામે મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કર્યા બાદ આજરોજ ટ્રાઇબલ વિસ્તારના કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી
ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જોર પકડતો જણાઈ રહ્યો છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયો સામે પાર્ટીના જ સેંકડો કાર્યકરો ફફડ્યા છે.વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે કડક વિરોધ નોંધાયો છે. ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્ત્વના હોદ્દાઓ સોપવામાં આવ્યા છે. આજે 100થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજુઆત કરી હતી. 
આ સમગ્ર વિવાદ અંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ કોઈ હાજર રહ્યું નહોતું.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના વધવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આયોગ્ય વિભાગ દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરાયુ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ

New Update
IMG-20250714-WA0015

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ કવોલિટી એસ્યોરન્સ પ્રોગ્રામ (NQAS) અંતર્ગત નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના વઘવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગના ડો.મનીષ શર્મા અને ડો.સુનીતા ડોહાન દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

IMG-20250707-WA0138

જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવાઓનું મુલ્યાંકન કરીને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના કર્મીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજીસ્ટર નિભાવણી તેમજ તેઓ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે.અસેસમેન્ટ દરમિયાન સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ-સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની તથા યોગ-પ્રાણાયમ સહિત આયુર્વેદિક સેવાઓની પણ ગુણવત્તા ચકાસણી કરી ખાતરી કરવામાં આવી હતી.