New Update
-
ભરૂચ ભાજપમાં આંતરીક વિવાદ
-
હોદ્દેદારોની નિમણુંકને લઈ અસંતોષ
-
કાર્યકરોએ ભાજપ પ્રમુખને કરી રજુઆત
-
સાંસદ મનસુખ વસાવાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી
-
જુના જોગીઓની અવગણના કરાય હોવાના આક્ષેપ
ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સામે મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કર્યા બાદ આજરોજ ટ્રાઇબલ વિસ્તારના કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી
ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જોર પકડતો જણાઈ રહ્યો છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયો સામે પાર્ટીના જ સેંકડો કાર્યકરો ફફડ્યા છે.વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે કડક વિરોધ નોંધાયો છે. ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્ત્વના હોદ્દાઓ સોપવામાં આવ્યા છે. આજે 100થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજુઆત કરી હતી.
આ સમગ્ર વિવાદ અંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ કોઈ હાજર રહ્યું નહોતું.
Latest Stories