ભરૂચ: ભાજપમાં હોદ્દેદારોની નિમણુંકને લઈ વિવાદ યથાવત, મનસુખ વસાવાની નારાજગી બાદ કાર્યકરોએ ભાજપ પ્રમુખને કરી રજુઆત

ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્ત્વના હોદ્દાઓ સોપવામાં આવ્યા

New Update
  • ભરૂચ ભાજપમાં આંતરીક વિવાદ

  • હોદ્દેદારોની નિમણુંકને લઈ અસંતોષ

  • કાર્યકરોએ ભાજપ પ્રમુખને કરી રજુઆત

  • સાંસદ મનસુખ વસાવાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી

  • જુના જોગીઓની અવગણના કરાય હોવાના આક્ષેપ

Advertisment
ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સામે મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કર્યા બાદ આજરોજ ટ્રાઇબલ વિસ્તારના કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી
ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જોર પકડતો જણાઈ રહ્યો છે. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયો સામે પાર્ટીના જ સેંકડો કાર્યકરો ફફડ્યા છે.વાલિયા અને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે કડક વિરોધ નોંધાયો છે. ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્ત્વના હોદ્દાઓ સોપવામાં આવ્યા છે. આજે 100થી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજુઆત કરી હતી. 
આ સમગ્ર વિવાદ અંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ કોઈ હાજર રહ્યું નહોતું.
Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment