New Update
-
ક્રેડાઇ ભરૂચ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ
-
કલેકટરને પાઠવાયું આવેદનપત્ર
-
સરકારે જાહેર કરેલ જંત્રીના નવા દરનો વિરોધ
-
ભાવમાં વીસંગતતા હોવાની રજુઆત
-
જંત્રીના ભાવ રિવાઇઝ કરવા માંગ
ક્રેડાઇ ભરૂચ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારે કરેલ જંત્રીના ભાવ વધારાના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી
ક્રેડાઈ ભરુચ દ્વારા કલેક્ટરને જંત્રીના ભાવ વધારા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જ જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલ હોવા છતાં પ્રવર્તમાન દરમાં ૨૦૦% થી ૨૦૦૦%નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને તા. ૨૦/૧૧/૨૦૨૪ ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ છે અને રાજ્યમાં આશરે ૪૦,૦૦૦થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનીકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં ૧૮ માસનો સમય થયેલ હોવાનું જણાયેલ છે. આમ છતાં તે અંગેના વાંધા રજુ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે અને તે માટેનો સમય ફક્ત ૩૦ દિવસનો જણાવેલ છે.
રાજ્યના મોટા ભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિથી ઘણા વધુ છે. આમ કોઈ પણ જોતાઆ જંત્રી સાયન્ટીફીક રીતે તૈયાર કરેલ હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવાળે ખેડૂત, મિલકત ખરીદનાર, સામાન્ય પ્રજાજનો અને વિકાસકર્તા ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરાધાશે એ સહિતની રજુઆત કરવામાં આવી હતી.