ભરૂચ: દિલ્હી પબ્લિક સ્કૂલના વાર્ષિક મહોત્સવની ઉજવણી, દેશભક્તિની ભાવના ઉજાગર કરાય

ભરૂચની દિલ્હી પબ્લિક સ્કુલ ખાતે વાર્ષિક મોહત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી

author-image
By Connect Gujarat Desk
New Update
  • ભરૂચના પગુથણ નજીક આવેલી છે શાળા

  • દિલ્હી પબ્લિક સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણી

  • દેશભક્તિની થીમ પર ઉજવણી કરવામાં આવી

  • સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાય

  • શાળા પરિવાર અને વાલીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચની દિલ્હી પબ્લિક સ્કુલ ખાતે વાર્ષિક મોહત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
ભરૂચ તાલુકાના પગુથણ ગામ નજીક આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે શૌર્ય ગાથાની થીમ પર વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં  શહીદ ભગતસિંહજીના વંશજ કિરણજીત સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ એન્યુઅલ ફંકશનનું મુખ્ય આકર્ષણ શોર્ય ગાથા ઉપર દેશના વીરોએ જે દેશને આઝાદી માટે આપેલ બલિદાનને નવી પેઢી સુધી અને નવી પેઢીમાં દેશદાઝની ભાવના કેળવાયએ થીમ પર દેશભક્તિ ગીતો, નાટક રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય  સુનિલ કુમાર સહિત શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.