ભરૂચ:10 વર્ષની બાળકી સાથે રેપ વીથ મર્ડરના મામલામાં આરોપીને ફાંસીની સજાની માંગ

ભરુચ જિલ્લામાં એક દસ વર્ષની માસુમ બાળા સાથે  નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારનાર વિજય પાસવાન સામે દેશભરમાં ફિટકાર વરસાવી રહ્યા છે. સાથેજ ફાંસીના માંચડે લટકાવવાની માંગ કરવામાં આવી છે.

New Update
  • ભરૂચનો ચકચારી મામલો

  • 10 વર્ષની બાળકી સાથે રેપ વીથ મર્ડર

  • નરાધમ આરોપીને ફાંસીની સજાની માંગ

  • બિરસા મુંડા બ્રિગેડ દ્વારા કલેકટરને રજુઆત

  • મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે રેપ વીથ મર્ડરના કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે બિરસા મુંડા બ્રિગેડ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં અને ભારત દેશમાં બળાત્કારના કિસ્સાઓ દિન પ્રતિ દિન વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ ભરુચ જિલ્લામાં એક દસ વર્ષની માસુમ બાળા સાથે  નરાધમ દ્વારા પાશવી બળાત્કાર ગુજારનાર વિજય પાસવાન સામે દેશભરમાં ફિટકાર વરસાવી રહ્યા છે.
ત્યારે  ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અંકલેશ્વર તથા ભરૂચ તાલુકાના આદિવાસી સંગઠનો દ્વારા ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના નેજા હેઠળ આવેદનપત્ર આપી બળાત્કારીને સખ્તમાં સખત સજા કરી ફાંસીના માંચડે લટકાવવાની માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.