ભરૂચ: સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને ટોલમાંથી મુક્તિની માંગ, ખાનગી બસ ચાલકોએ હાઇવે કર્યો જામ

ભરૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસુલતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક  ટ્રાન્સપોર્ટરો ટોલ બુથ પર  વાહનો ખડકી દઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું

New Update
  • ભરૂચમાં યોજાયું વિરોધ પ્રદર્શન

  • મુલદ ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન યોજાયું

  • સ્થાનિક ખાનગી બસ ચાલકોએ નોંધાવ્યો વિરોધ

  • ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ

  • વિરોધ પ્રદર્શનના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો

ભરૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસુલતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક  ટ્રાન્સપોર્ટરો ટોલ બુથ પર  વાહનો ખડકી દઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું
ભરૂચન નર્મદા નદી પર 2017માં કેબલ બ્રિજના નિર્માણ બાદ  8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવી હતી પરંતુ ફાસ્ટટેગ આવ્યાં બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટીક કપાઈ જતો હતો.આ સમસ્યાના નિરાકરણ માટે ટોલનાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી પરંતુ આ લેનમાં પણ ફાસ્ટટેગ લગાવી દેતાં આ લેનમાંથી પસાર થતાં વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોધાવ્યો હતો પરતું હજીય ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ અવરજવર કરે છે ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસુલાત કરાતો હોવાના આક્ષેપ સાથે આજ રોજ સ્થાનિક ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મુલદ ટોલ પ્લાઝા પર  લકઝરી ખડકી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટોલ બુઠમાં જ લકઝરી ઉભી કરી દેવાતા નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના પગલે પોલીસ કાફલો પહોંચ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો
Read the Next Article

ભરૂચ: મલયાલી વેલફેર એસો.દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • મલયાલી વેલફેર એસો.દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • રજતદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ મલયાલી વેલ્ફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો.શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.આ શિબિરની સફળતામાં મલયાલી વેલ્ફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો વ્યક્ત આવ્યો હતો.