ભરૂચ: DGVCL દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા યોજાય

દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા

New Update
  • ભરૂચ DGVCL દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • વિદ્યુત સહાયકની કરવામાં આવશે ભરતી

  • પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા યોજાય

  • સમગ્ર રાજ્યમાંથી 863 ઉમેદવારો રહ્યા હાજર

  • વીજ કંપનીના 130 કર્મચારીઓ જોડાયા

દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા હતા

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ડીજીવીસીએલના ભરૂચ સર્કલ દ્વારા વિદ્યુત સહાયક-વિદ્યુત ઇલેક્ટ્રિશિયન આસી. માટેના પોલ ટેસ્ટ તેમજ ઇન્ટરવ્યૂનું શહેરના મકતમપુર વિસ્તારમાં આવેલ વીજ કંપનીની કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાના 863 ઉમેદવારો હાજર રહ્યા હતા.આ ભરતી પ્રક્રિયામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 130 કર્મચારીઓ જોડાયા હતા જેમાં 20 ટીમ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે, 3 ટીમ રજીસ્ટ્રેશન માટે અને 5 ટીમ ટેકનિકલ કામગીરી માટે હાજર કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો સાથે જ મેડિકલની ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.