ભરૂચ: તબીબ સાથે ડિજિટલ એરેસ્ટનો મામલો, વધુ એક આરોપીની મુંબઇથી ધરપડક

ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે  ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેવાના મામલામાં પોલીસે વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
  • ભરૂચ પોલીસને મળી સફળતા

  • ડિજિટલ એરેસ્ટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

  • મુંબઈના વસઈ વિસ્તારમાંથી આરોપી ઝડપાયો

  • તબીબ પાસે પડાવ્યા હતા રૂ.14 લાખ

  • અગાઉ એક આરોપીની થઈ ચૂકી છે ધરપકડ

ભરૂચના ઇખર ગામમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર પાસે  ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા 14 લાખ પડાવી લેવાના મામલામાં પોલીસે વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના ટંકારીયા ગામમાં રહેતા અને ઇખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતાં ડો.બશીરઅહેમદ ઇબ્રાહિમના મોબાઇલ પર સપ્ટેમ્બર મહીનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો.જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સીમકાર્ડનો નંબર કેનેરા બેન્કના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે.જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઇ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રુપિયા મળ્યાં હોવાનો ડર આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટ માંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરાઈ હતી.
આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી હતી
સાથે જ  આરોપીઓએ ફરીયાદી પાસેથી મેળવેલ નાણા જે બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્જેક્શનની માહિતી મેળવી ટેકનીકલ એનાલીસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે વધુ એક આરોપી અને મુંબઈના વસઈ વિસ્તારમાં આવેલ વસંત રેજેન્સીના મકાન નંબર  એચ 201માં રહેતા હુસૈન ઉર્ફે સમીર  મોહમ્મદ ઇબ્રાહીમની ધરપકડ કરી છે. પોલીસે આ અગાઉ  પાટણની  સ્વદુરવિલા સોસાયટીમાં રહેતા પાર્થ પંચાલ નામના આરોપીની ધરપકડ કરી હતી.
Read the Next Article

ભરૂચ : પ્રથમ વરસાદમાં જ રાજપારડીથી SOUને જોડતો મુખ્ય બન્યો અત્યંત માર્ગ બિસ્માર..!

ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા..

New Update
  • ઝઘડીયા તાલુકામાં વિવિધ માર્ગ બન્યા અત્યંત બિસ્માર

  • રાજપારડીથી SOUને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો

  • પ્રથમ વરસાદમાં જ માર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી

  • માર્ગ પરથી પસાર થતાં અનેક વાહન ચાલકોને પરેશાની

  • વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવાની માંગ 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.

હાલ ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છેત્યારે પ્રથમ વરસાદથી જિલ્લાના કેટલાક માર્ગ બિસ્માર બન્યા છે. જેમાં ઝઘડીયા તાલુકાના રાજપારડીથી એક્તાનગર સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ પ્રથમ વરસાદમાં જ અત્યંત બિસ્માર બનતા અનેક વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. રાજપારડી ચાર રસ્તા નજીક પ્રથમ વરસાદથી જ માર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી.

વરસાદનું આગમન થતાં જ માર્ગો પર ખાડાઓ પડતાં વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગ પર મોટા તેમજ જીવલેણ ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છેત્યારે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો સહિત રાહદારીઓ માંગ કરી રહ્યા છે.