ભરૂચ : રોટરી ક્લબ દ્વારા ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ, 800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો...

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2024-25નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જિલ્લાના 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવશે.

New Update
  • ભરૂચ રોટરી ક્લબ દ્વારા રોટરી યુથ સેન્ટર ખાતે કરાયું આયોજન

  • રોટરી ક્લબ દ્વારા ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભારંભ

  • 800થી વધુ ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ખેલ કૌશલ્ય દર્શાવશે

  • રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ, MIPRYC ચેરમેનની ઉપસ્થિતિ

  • ખેલાડીઓના કૌશલ્ય-રમત પ્રત્યેના જુસ્સાને વધારવામાં આવ્યો

ખેલ પ્રતિભાખેલદિલી અને સામુદાયિક ભાવનાની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 2024-25નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં જિલ્લાના 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવશે.

રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા તા. 23થી 26 જાન્યુઆરી-2025 દરમ્યાન ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેનો ઉદ્ઘાટન સમારોહ ભરૂચ સ્થિત એમ.આઈ.પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં સમગ્ર જિલ્લામાંથી 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ લીધો છે. 

ત્યારે વિવિધ રમતો અને કેટેગરીમાં આ ખેલાડીઓ તેમના કૌશલ્ય અને રમત પ્રત્યેના જુસ્સાનું પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદ્દારએમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટરના ચેરમેન પ્રશાંત રૂઇયાકેતન દેસાઈરાહુલ મહેતા તેમજ અન્ય હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે