ભરૂચ:સોનેરી મહેલ વિસ્તારમાં શ્વાનને લાકડીના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારાય, મહિલા પહોંચી પોલીસ મથકે

શ્વાનનું મોત નીપજતા તેના ગલુડિયા રઝળી પડ્યા હતા. મહિલાએ જીવદયા પ્રેમીઓની મદદ લઇ શ્વાનને મોતને ઘાટ ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી

New Update
  • ભરૂચના સોનેરી મહલ વિસ્તારનો બનાવ

  • માદા શ્વાનને માર મારી મોતને ઘાટ ઉતરાય

  • મુસ્લિમ મહિલાએ માંડ્યો મોરચો

  • શ્વાનને માર મારનાર સામે ફરિયાદ નોંધાવા પોલીસ મથક પહોંચી

  • જીવદયા પ્રેમીઓની પણ મદદ લેવાય

ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં રાત્રી દરમિયાન ઊંઘમાં ખલેલ પહોંચાડવા જેવી સામાન્ય બાબતે શ્વાનને લાકડીના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાતા એક મુસ્લિમ મહિલા પશુ ક્રુરતા મામલે પોલીસ સ્ટેશન પહોંચી હતી.
ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં શ્વાનના ત્રણ ગલુડિયાં માતા વિના વલખા મારતા અને કલ્પાંત કરતા નજરે પડતા સ્થાનિકોની આંખો ભીજાઈ હતી અસલમાં આ ત્રણ બાળકોની માતાને કેટલાક લોકોએ ગતરાતે લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.માદા શ્વાનનો વાંક એટલો હતો કે તે તેના રાત્રે ભસવાથી એક પરિવારની ઊંઘમાં ખલેલ પડતી હતી.
આટલી સામાન્ય બાબતે કેટલાક લોકો હાથમાં ડાંગ સાથે નીકળી પડ્યા હતા અને માદા શ્વાનને ઘેરી લઇ લાકડીના સપાટા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાતે આ શ્વાનને બચાવવા કોઈ આગળ આવ્યું નહતું.આ શ્વાનનું મોત નીપજતા તેના ગલુડિયા રઝળી પડ્યા હતા.આજે મહિલાએ જીવદયા પ્રેમીઓની મદદ લઇ શ્વાનને મોતને ઘાટ ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી..
Read the Next Article

ભરૂચ : કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મહિલા વકીલ પર વકીલ મિત્રએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની એ ડિવિઝન પોલીસ મથક નોંધાઇ ફરિયાદ !

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા

New Update
Screenshot_2025-08-13-07-57-15-01_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચમાં 55 વર્ષીય ફરિયાદી મહિલા વકીલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

જેમાં તેણી આક્ષેપ કર્યો છે કે ભરૂચ કોર્ટમાં વકીલાત કરવા આવતા ઓસારા ગામ વિશ્વ શાંતિ મહાકાળી મંદિરની પાછળ રહેતા નિરલ ઠાકોરે ફરિયાદી મહિલા વકીલને આજથી 10 મહિના પહેલા 26/11/ 2024 ના રોજ facebook ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું જેને મેં એક્સેપ્ટ કર્યું હતું ત્યારબાદ અમે બંને વચ્ચે મિત્રતા કેળવાતા વકીલ નીરલ ઠાકોર ફરિયાદીના ઘરે જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી વારંવાર લગ્નની લાલચે દુષ્કર્મ કરતો અને લગ્ન કરીશું તેવું વારંવાર વચનો આપ્યા પરંતુ આરોપી વકીલ નીરલ પટેલે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હોય અને ફરિયાદી આધેડ મહિલા વકીલનું શારીરિક શોષણ કર્યું હોય તેવા આક્ષેપ સાથે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ નીરલ ઠાકોર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે