ભરૂચ: વાલિયાના 2 ગામોમાં સરકારી જમીન પર કરાયેલ દબાણો હટાવવામાં આવ્યા

ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

New Update
  • ભરૂચના વાલિયામાં કાર્યવાહી

  • 2 ગામોમાં સરકારી જમીન પર કરાયા હતા દબાણ

  • દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાય

  • અગાઉ પાઠવવામાં આવી હતી નોટીસ

  • અધિકારીઓ રહ્યા હાજર

ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચરણ અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા આજરોજ તલાટી,સહિતના અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માગતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી.જ્યારે ધોળગામના ત્રણ રસ્તાથી ગામના છેડા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા DGVCLના અધિકારીની દાદાગીરીના આક્ષેપ સાથે મામલતદારને કરાય રજુઆત

અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.

New Update
  • અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

  • ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજુઆત

  • વીજ કંપનીના અધિકારીની દાદાગીરીના આક્ષેપ

  • યોગ્ય પગલાં ભરવા કરાય માંગ

  • ટ્રસ્ટના આગેવાનો જોડાયા

શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ડી.જી.વી.સી.એલના જુનિયર એન્જીનીયરની દાદાગીરી વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું.
અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મંડળો વતી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડી.જી.વી.સી.એલ વીજ કંપની ખાતે રજુઆત કરવા ગયા હતા તે સમયે વીજ કંપનીના મુખ્ય અધિકારીને બદલે જુનિયર એન્જીનીયર હર્ષ પ્રજાપતિ વચ્ચે જવાબો આપતા જેઓને તમારી પાસે રજુઆત લઈને નથી આવ્યા તેમ કહેતા તેઓ દાદાગીરી પૂર્વક જવાબ આપી ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં ત્યારે આવા બેજવાબદાર અધિકારી સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.