ભરૂચ: તપોવન સંકુલ દ્વારા આયોજિત રાસ ગરબામાં ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ઘેલું લગાડ્યું !

ભરૂચના તપોવન સંકુલ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે ગુમાવ્યા હતા.

New Update

ભરૂચમાં શરદ પૂર્ણિમાની ઉજવણી

તપોવન સંકુલ દ્વારા આયોજન

રસ ગરબા મહોત્સવ યોજાયો

ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે ઝુમાવ્યા

ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા

ભરૂચના તપોવન સંકુલ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે ગુમાવ્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તપોવન સંકુલ દ્વારા પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રાસ ગરબા મહોત્સવમાં ગરબા ક્વીન તરીકે જાણીતા ફાલ્ગુની પાઠકે ખેલૈયાઓને ગરબે જુમાવ્યા હતા. ખેલૈયાઓએ પરંપરાગત પોશાકમાં મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.આ પ્રસંગે અધિક કલેકટર એન.આર.ધાંધલ સહિતના અધિકારીઓ, તપોવન સંકુલના દિનેશ પંડ્યા, જાગૃતિ પંડ્યા તેમજ સભ્યો અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.