ભરૂચ:સુકૃતિ હોસ્પિટલમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનું મોત નિપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ

ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે

New Update
  • ભરૂચમાં આવેલી છે સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલ

  • હોસ્પિટલમાં મહિલાનું મોત

  • તબીબની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાના આક્ષેપ

  • પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા

  • પોલીસ મથકે અરજી આપવામાં આવી

ભરૂચની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે પોલીસે આ મામલે પોલીસે પેનલ પી.એમ.નો સહારો લઈ તપાસ શરૂ કરી છે.
ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઈરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમબેન પટેલને દાંતનો દુખાવો થતાં તેઓ દ્વારા તેમને તબીબી પરીક્ષણ માટે શહેરની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલના તબિયત ડોક્ટર વિહાન સુખડિયા પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબે તેઓને દવા આપી હતી પરંતુ પુનઃ દાંતમાં દુખાવો થતા તેઓ તેમને તબિબ પાસે લઈ ગયા હતા ત્યારે તબીબે તેમની દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું અને ઓપરેશન કર્યું હતું.આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ હતી આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા કહેવામાં આવ્યું હતું. આથી તેમને ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો જીવ ગયો છે.પરિવારજનો દ્વારા આ અંગે  એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે.પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયાનો સંપર્ક કરાતા તેઓએ આ મામલે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કાયદાકીય તપાસમાં સહયોગ આપશે તેવું જણાવ્યુ હતું.
Read the Next Article

ભરૂચ: સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું....

New Update

ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન

ફાયર વિભાગના કર્મચારીઓનું કરાયુ સન્માન

આગ સહિતની ઘટનાઓમાં બજાવે છે ફરજ

અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું  સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે.શહેરમાં પક્ષીઓ વીજતાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકી સેવા આપે છે.આ સેવાકીય કાર્યો માટે સાર્થક ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.