ભરૂચ:ફાંટા તળાવ રાણા પંચ દ્વારા 32 વર્ષોથી બનાવાય છે માવાઘારી, 60 સ્વયંસેવકો જોડાય છે કામગીરીમાં

હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે

New Update

ભરૂચમાં ચંદી પડવાની ઉજવણી માટે થનગનાટ

રાણા પંચ દ્વારા માવઘારી બનાવવાની પરંપરા

32 વર્ષથી બનાવવામાં આવે છે માવાઘારી

60 સ્વયંસેવકો જોડાય છે કામગીરીમાં

ચંદી પડવાના દિવસે આરોગવામાં આવે છે ઘારી

શરદ પુનમ અને ચંદી પડવાની ઊજવણીના થનગનાટ વચ્ચે પરંપરા મુજબ ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત ભક્તેશ્વર હોલ ખાતે 'માવા-ઘારી' બનાવવાનો ધમધમાટ જોવા મળ્યો છે. ભારતીય ઉત્સવો અને તેહવારો સાથે ખાણી-પીણીનો વિશેષ મહિમા જોવા મળે છે. ઉત્તારાયણે જેમ ઉધીંયુ-જલેબી. દશેરાએ ફાફડા-જલેબી અને શરદ પુનમે દૂધ-પૌઆ તે જ રીતે ચંદી પડવાની રાત્રીએ 'માવાઘારી' આરોગવાની પરંપરા ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે.
હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે.
 રૂ. 640ના ભાવે એક કિલોગ્રામ માવાઘારીનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે. ઘારીના ભાવમાં પ્રતિકિલોએ 20 રૂપિયાનો વધારો થયો છે.
ભરૂચમાં સૌથી મોટાપાયે ફાટાતળાવ રાણા પંચ દ્વારા છેલ્લા ઘણા  વર્ષોથી માવાઘારીનું વેચાણ કરી સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવે છે.ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે છેલ્લા ઘણા સમયથી રાણા સમાજના આશરે 60 જેટલા સ્વયંસેવક કાર્યકરો શુધ્ધતાથી માવાઘારી બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. 
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે