ભરૂચ: ખેડૂત સમન્વય સમિતિ દ્વારા જમીન વળતર એવોર્ડના મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું, ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ

ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભુત બેરેજ ડાબા કાંઠા પુર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવ્યું....

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • જમીન વળતરના એવોર્ડ મુદ્દે રજુઆત

  • ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ

  • મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા

Advertisment
ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભુત બેરેજ ડાબા કાંઠા પુર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું.જેમાં જણાવ્યા અનુસાર ભાડભુત બેરેજ ડાબા કાંઠા પુર સંરક્ષણ પાળામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતોએ જાહેરનામાના વાંધાઓનો આજ દિન સુધી જવાબ આપેલ નથી,કબ્જા ફેર,ક્ષેત્રફળની ત્રુટીઓ આજ દિન સુધી જમીન દફતરના રેકર્ડ પર સુધારેલ નથી,19(1)નું જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈ અનુસાર રદ્દ કરવું,જાહેરનામું રદ્દ કરવા માટે હાઇકોર્ટમાં કેસ દાખલ કરેલ છે.
જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કરેલ છે તેમજ બોરભાઠાનો એવોર્ડ વર્ષ-2010-11ની જંત્રી પ્રમાણે કરી ખેડૂતો સાથે અન્યાય કરી જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે ખેડુતોને જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈઓનો અરેઆમ ઉલ્લંઘન કરી એક માત્ર આજીવિકાનું સાધન ઝુંટવી લેવાનો બદ ઈરાદો જાહેર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે.
Advertisment
Latest Stories