ભરૂચ: જંત્રીના રિવાઇઝડ ભાવ અંગે વિરોધ નોંધાવી વાલિયાના ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાને કરી રજુઆત

ભરૂચના નેત્રંગ વાલિયા તાલુકાની લિગ્નાઈટ જમીનમાં કથીતપણે જંત્રીનો ભાવ તદ્દન ઓછો કરતા તમામ ગામોના ખેડૂતોમાં ભારે વિરોધનો સુર ઉઠ્યો છે..

New Update
  • સરકાર દ્વારા જંત્રીના ભાવ રિવાઇઝડ કરાયા

  • વાલિયા તાલુકાના ખેડૂતોમાં રોષ

  • સાંસદ મનસુખ વસાવાને કરાય રજુઆત

  • જંત્રીના ભાવમાં સુધારો કરવાની માંગ

  • ભાવમાં 70 ટકાનો ઘટાડો થયો: ખેડૂતો

ભરૂચના વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ પહેલાં જંત્રીના દર ઘટી જતાં ખેડૂતોએ વિરોધ નોંધાવી સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરી હતી
ભરૂચના નેત્રંગ વાલિયા તાલુકાની લિગ્નાઈટ જમીનમાં કથીતપણે જંત્રીનો ભાવ તદ્દન ઓછો કરતા તમામ ગામોના ખેડૂતોમાં ભારે વિરોધનો સુર ઉઠ્યો છે.. આ મુદ્દામાં મિલકતોનાં મુસદ્દારૂપ અવમૂલ્યાંકન સામે સખત વિરોધ ખેડૂતો કરી રહ્યા હોવાથી જેમાં સુધારો કરવા માટે માંગણી કરવામાં આવી છે. 2024 જંત્રીનો સૂચિત ડ્રાફ્ટ સરકાર દ્વારા રજૂ કરાયો છે તે વાલિયા તાલુકાના તમામ ગામોના ખેડૂતોને અસ્વીકાર્ય છે અને સરકાર દ્વારા મિલકતોના મુસદ્દારૂપ અવમૂલ્યાંકનનો સખત વિરોધ ખેડૂતો કરી રહ્યા છે.
આ બાબતે  ખેડુતોએ ભરૂચ  સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી. 2024 ડ્રાફ્ટમાં મિલકતોના જંત્રી દર  2011 કરતાં પણ ઘટાડી, સરકાર અને વાલિયા તાલુકાના લોકોને કોઈ ફાયદો નથી નુકશાન થયેલ છે.2024 ના મુસદ્દારૂપ જંત્રી માં 70% ભાવ ઘટેલા દર્શાવ્યા છે તે ખેડૂતોને મંજુર ન હોવાની રજુઆત કરવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ: મહોરમના પર્વને લઇ તાજીયાના રૂટ પર પોલીસનું ચેકીંગ, જાહેરનામાં ભંગના 20 કેસ કરાયા

ભરૂચમાં મહોરમ તહેવારને લઈને એસઓજીની ટીમે તાજીયા રુટ વિસ્તારમાં ધાબા ચેકિંગ તેમજ મકાન ભાડુઆત ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ

New Update
MixCollage-06-Jul-2025-09-15-AM-784

ભરૂચમાં મહોરમ તહેવારને લઈને એસઓજીની ટીમે તાજીયા રુટ વિસ્તારમાં ધાબા ચેકિંગ તેમજ મકાન ભાડુઆત ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરના વિવિધ જાહેરનામાં બહાર પાડવામાં આવતા હોય છે.

જે અનુસંધાને અસમાજિક તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાન દુકાન રાખીને અસામાજિક પ્રવુત્તિને અંજામ આપવામાં આવે છે. જેને અંકુશમાં લાવવા માટે અને તાજીયા રુટ વિસ્તારમાં ધાબા ચેકિંગની કામગીરી ભરૂચ એસઓજી ટીમે હાથ ધરી હતી. જેમાં કેટલાક ઇસમોને મકાન-દુકાન ભાડે આપી તેનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહિ કરતા માલિકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં માલિકોએ મકાન-દુકાન માલિકોએ ભાડા કરાર નોંધણી ન કરાવવા વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગના કુલ 20 ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.