ભરૂચ : બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ-ટંકારીયા ખાતે વોરાસમની ઇલેવન-જંબુસર ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાય

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ સ્થિત બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાય હતી.

New Update
  • ટંકારીયા ગામ સ્થિત બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન

  • બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન

  • વોરાસમની ઇલેવન-જંબુસર ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાય

  • ક્રિકેટ ટુર્નામેન્ટ જંબુસર ઇલેવનએ મેચ 8 વિકટથી જીતી લીધી

  • મોટી સાંખ્યમાં આસપાસના ગ્રામજનો-ક્રિકેટ રસિકોની ઉપસ્થિતી

Advertisment

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ સ્થિત બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ યોજાય હતી.

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામ સ્થિત બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઈલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાડવા આવી હતી. જેમાં પહેલી બેટિંગ વોરાસમની ટીમએ કરી 20 ઓવરમાં 147 રન બનાવ્યા હતાજ્યારે જવાબમાં જંબુસર ઇલેવનએ આ મેચ 8 વિકટથી જીતી લીધી હતી. આ ફાઇનલ મેચનો ટંકારીયા ગામના લોકો સહિત આસપાસના લોકોએ આનંદ માળ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટના સ્પોન્સર બાબુભાઈ પરફેકટવાળા તરફથી કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના આયોજક આરીફ બાપુએ સ્પોન્સર અને ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઇમ્તિયાઝ બાપુયુનુસ કોંગોવાલાઇમ્તિયાઝ વોરાસમનીવાળ,  જાકીર ગોદર સાઉથ આફ્રિકાવાળાઝાકીર ઉમતાઆકીબ મુન્શી સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment