ભરૂચ: લોક કલાકાર રાજભા ગઢવીના નિવેદનના કારણે આદિવાસી સમાજમાં આક્રોશ, અંતે રાજભાએ માંગી માફી

ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાએ પણ રાજભા ગઢવીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. બંને આગેવાનોએ રાજભા ગઢવીના નિવેદનને વખોડી નાખ્યું હતું

New Update

રાજભા ગઢવીના નિવેદનના કારણે વિવાદ

જાણીતા લોક કલાકાર છે રાજભા ગઢવી

આદિવાસીઓ અંગે આપ્યું હતું નિવેદન

આદિવાસી સમાજમાં આક્રોશ

અંતે રાજભાએ માંગી માફી 

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ આદિવાસીઓ અંગે આપેલા નિવેદનના કારણે વિવાદ સર્જાયો હતો ત્યારે આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જોકે અંતે રાજભા ગઢવીએ આદિવાસી સમાજની માફી માગી હતી
ગુજરાતી લોકસાહિત્ય અને લોકકલાકાર રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઈ છે. વાઈરલ વીડિયોમાં રાજભા ગઢવી લોકડાયરામાં બોલે છે કે ગુજરાતના ડાંગ-આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા ન દે.જોઈએ રાજભા ગઢવીએ શું કહ્યું હતું
આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. બંને આગેવાનોએ રાજભા ગઢવીના નિવેદનને વખોડી નાખ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે રાજભા ગઢવીના નિવેદનના કારણે આદિવાસી સમાજમાં આક્રોશ છે અને આદિવાસી સમાજને નીચો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે  રાજભા ગઢવી જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી.
તો આ તરફ વિવાદ વધતા રાજભા ગઢવી પણ સામે આવ્યા હતા તેઓએ સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરી આદિવાસી સમાજની માફી માંગી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ જ્ઞાતિજાતીની વાત નથી કરી છતાં પણ કોઈની લાગણી દુભાઈ હોય તો ક્ષમાપાર્થિ છું..
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.