ભરૂચ: લોક કલાકાર રાજભા ગઢવીના નિવેદનના કારણે આદિવાસી સમાજમાં આક્રોશ, અંતે રાજભાએ માંગી માફી

ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાએ પણ રાજભા ગઢવીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. બંને આગેવાનોએ રાજભા ગઢવીના નિવેદનને વખોડી નાખ્યું હતું

New Update

રાજભા ગઢવીના નિવેદનના કારણે વિવાદ

જાણીતા લોક કલાકાર છે રાજભા ગઢવી

આદિવાસીઓ અંગે આપ્યું હતું નિવેદન

આદિવાસી સમાજમાં આક્રોશ

અંતે રાજભાએ માંગી માફી 

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ આદિવાસીઓ અંગે આપેલા નિવેદનના કારણે વિવાદ સર્જાયો હતો ત્યારે આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જોકે અંતે રાજભા ગઢવીએ આદિવાસી સમાજની માફી માગી હતી
ગુજરાતી લોકસાહિત્ય અને લોકકલાકાર રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઈ છે. વાઈરલ વીડિયોમાં રાજભા ગઢવી લોકડાયરામાં બોલે છે કે ગુજરાતના ડાંગ-આહવાનાં જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા ન દે.જોઈએ રાજભા ગઢવીએ શું કહ્યું હતું
આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. બંને આગેવાનોએ રાજભા ગઢવીના નિવેદનને વખોડી નાખ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે રાજભા ગઢવીના નિવેદનના કારણે આદિવાસી સમાજમાં આક્રોશ છે અને આદિવાસી સમાજને નીચો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે  રાજભા ગઢવી જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી.
તો આ તરફ વિવાદ વધતા રાજભા ગઢવી પણ સામે આવ્યા હતા તેઓએ સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરી આદિવાસી સમાજની માફી માંગી હતી તેઓએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ જ્ઞાતિજાતીની વાત નથી કરી છતાં પણ કોઈની લાગણી દુભાઈ હોય તો ક્ષમાપાર્થિ છું..
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ, સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ પહોંચી ન શક્યું

સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી..

New Update
  • અંકલેશ્વરના ગડખોલ વિસ્તારનો બનાવ

  • સરસ્વતી વિદ્યામંદિર શાળામાં આગ

  • શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી

  • શાળા છૂટયા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી

  • સાંકડા રસ્તાના કારણે ફાયર વિભાગ ન પહોંચી શક્યું

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શાળા છૂટ્યા બાદ આગ લાગતા મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યામંદિર ઈંગ્લીશ મીડીયમ શાળામાં આજરોજ બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે શાળા છૂટ્યા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જોકે સાંકડી ગલીઓના કારણે ફાયર  વિભાગ ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું. તો આ તરફ શાળામાં રહેલ ફાયર ઇન્સ્ટિગયૂટર સહિતના સાધનોની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.આગમાં શાળામાં રહેલ ફર્નિચર બળીને ખાક થઈ ગયું હતું.સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શાળામાં 400 જેટલા બાળકો અભ્યાસ કરે છે ત્યારે આગ લાગવાના બનાવમાં મોટી દુર્ઘટના ટળી કહી શકાય.