નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાયેલી ડિમોલિશન કાર્યવાહી સામે આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. તંત્રએ થોડા દિવસ પહેલા સ્થાનિક લોકોના 34થી વધુ મકાનો અને દુકાનોનું ડિમોલિશન કર્યું હતું ડિમોલીસનનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ તંત્રની નીતિનો વિરોધ નોંધાવ્યો છે.
છોટુ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે લોકોને બેઘર કરવાનો સરકારને કોઈ હક નથી. સરકાર એક તરફ કહે છે કે આદિવાસીઓનો વિકાસ કરીશું તો શું આ પ્રકારે ઘર અને દુકાન તોડીને તેઓનો વિકાસ શક્ય છે ખરો? તેઓએ આગામી દિવસોમાં પણ આ લડાઈ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી