ભરૂચ: SOU નજીક ડીમોલિશનનો પૂર્વ MLA છોટુ વસાવાએ નોંધાવ્યો વિરોધ, સરકાર પર કર્યા પ્રહારો

ડિમોલીસનનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ તંત્રની નીતિનો વિરોધ કરી કહ્યું કે લોકોને બેઘર કરવાનો સરકારને કોઈ હક નથી

New Update

નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાયેલી ડિમોલિશન કાર્યવાહી સામે આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. તંત્રએ થોડા દિવસ પહેલા સ્થાનિક લોકોના 34થી વધુ મકાનો અને દુકાનોનું ડિમોલિશન કર્યું હતું ડિમોલીસનનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ પણ તંત્રની નીતિનો વિરોધ નોંધાવ્યો છે.

છોટુ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે લોકોને બેઘર કરવાનો સરકારને કોઈ હક નથી. સરકાર એક તરફ કહે છે કે આદિવાસીઓનો વિકાસ કરીશું તો શું આ પ્રકારે ઘર અને દુકાન તોડીને તેઓનો વિકાસ શક્ય છે ખરો? તેઓએ આગામી દિવસોમાં પણ આ લડાઈ ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

અત્રે ઉલ્લેખનીયએ છે કે ડિમોલિશનની કામગીરીનો વિરોધ કરવા ધારાસભ્ય ચૈતન વસાવા સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતા જોકે તેઓને પોલીસે અગાઉથી જ અટકાવી દેતા વાતાવરણ ગરમાયું હતું.
Read the Next Article

અંકલેશ્વરની એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH  થીમ અંતર્ગત ઉજવણી

વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો. જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો 

New Update
svem school ankleshwar
અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ 21 જૂન 2025 ને શનિવારના રોજ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં 11માં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH  થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતા રીંડાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ શાળાના યોગ શિક્ષિકા ભામીની ભરડીવાળાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી વિવિધ યોગાસન,પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો.
જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો  હતો. આથી તારીખ 21 જૂન 2015 થી આજ દિન સુધી દર વર્ષે શાળામાં શુભાશય સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરી યોગઃ કર્મસુ કૌશલમ્ આ વાક્યને ચરિતાર્થ કરવામાં આવ્યું હતું.સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી પણ શાળાના સંગીત શિક્ષક કરણ ભટારા દ્વારા વિદ્યાર્થીઓને સંગીતની સમજ સાથે સુર, તાલ, લયના સથવારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.