ભરૂચ:તવરા ગામે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો,380 જરૂરિયાતમંદોએ લીધો લાભ

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 380થી વધુ જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો

New Update
  • ભરૂચ તાલુકાના તવરા ગામે આયોજન

  • નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું

  • વિના મૂલ્યે નેત્રનિદાન કેમ્પ યોજાયો

  • અતુલ ફાઉન્ડેશન દ્વારા આયોજન

  • 380 જરૂરિયાતમંદોએ લીધો લાભ

ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો 380થી વધુ જરૂરીયાતમંદ લોકોએ લાભ લીધો હતો
ભરૂચ તાલુકાના તવરા  ગામે અતુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી આનંદીમાં મેડિકલ સેન્ટર ધ્યાની ધામ  નિકોરા દ્વારા વિનામૂલ્ય આંખોના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 380થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ  લીધો હતો. આ કેમ્પમાં મોતિયા, જામર,ચશ્માના નંબર, કિકીના રોગો, પડદાના રોગો તેમજ  નજીકના ચશ્માનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ, તવરા હાઇસ્કુલ  ટ્રસ્ટી મનહરસિંહ તથા  મંગલમઠના મહંત ચેતનદાસ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
Read the Next Article

ભરૂચ : તમામ તાલુકા મથકો પર સિવિલ ડિફેન્સની તાલીમનો આજથી પ્રારંભ, ઉત્સાહભેર લોકો જોડાયા

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર આજથી સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.

New Update

ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કરાયુ આયોજન

Advertisment

સિવિલ ડિફેન્સ અંગેની તાલીમ યોજાય

તમામ તાલુકા મથકો પર આયોજન

લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

અધિકારીઓએ પણ આપી હાજરી

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર આજથી સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.
Advertisment
ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત આજરોજ ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવીલ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન જે.પી. આર્ટસ કોલેજ ભોલાવ ખાતે કરાયું હતું.આ તાલીમમાં નાયબ કલેક્ટર નીકુંજ પેટલ દ્નારા ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરવાનો છે. સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ કાજે અમૂલ્ય તકનો લાભ લઇ તાલીમમાં જોડાવા માટે તેમણે આહવાન કર્યું હતું.આ તાલીમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી લાડુમોર, તેમજ એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment