ભરૂચ : મિત્રએ જ મિત્રની હત્યા કરવાનો મામલો, પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું

શૈલેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિએ પોતાના જ મિત્ર સચિન ચૌહાણની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશના ટુકડા કરીને મોપેટ પર સલવાર-કમીઝ પહેરીને લાશનો નિકાલ કર્યો હતો.જેના CCTV સામે આવ્યા છે.

New Update
  • મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા મચી ભારે ચકચાર

  • પત્નીના અંગત ફોટા ડીલીટ ન કરતા હત્યાને અંજામ

  • આરોપીએ હત્યા બાદ મૃતદેહના કર્યા હતા 9 ટુકડા

  • પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું

  • મૃતદેહનો કેવી રીતે નિકાલ કર્યો તે સહિત માહિતી મેળવી

ભરૂચમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરવાના મામલામાં પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ભરૂચ શહેરમાં એક અત્યંત દર્દનાક અને ક્રૂર હત્યાકાંડની ઘટનાએ ચકચાર મચાવી છે. શૈલેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિએ પોતાના જ મિત્ર સચિન ચૌહાણની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશના ટુકડા કરીને મોપેટ પર સલવાર-કમીઝ પહેરીને લાશનો નિકાલ કર્યો હતો.જેના CCTV સામે આવ્યા છે.

જેમાં આરોપીએ મહિલાનો વેશ ધારણ કર્યો હતો. બાદમાં મોપેડ પર સવાર થઈને ભોલાવ GIDCની ગટરોમાં લાશના ટુકડા ફેંકી દીધા હતા. સચિનની હત્યા બાદ તેની લાશનો નિકાલ કરતા મિત્રના CCTV વાઈરલ થયા છે. સચિન ચૌહાણશૈલેન્દ્રની પત્નીના કેટલાક આપત્તિજનક તસવીરો ધરાવતો હતો અને તે તસવીરો વાઈરલ કરવાની ધમકી આપી રહ્યો હતો.

આ ધમકીથી બચવા અને પુરાવા નષ્ટ કરવા શૈલેન્દ્રએ એક ભયાનક યોજના ઘડી હતી. જ્યારે બંનેની પત્નીઓ બહારગામ હતીત્યારે શૈલેન્દ્રએ સચિનને પોતાના ઘરે બોલાવ્યો હતો. બંને મિત્રોએ સાથે પાર્ટી કરી હતી. હત્યાનું કારણ સચિન દ્વારા શૈલેન્દ્રની પત્નીના આપત્તિજનક તસવીરો વાઈરલ કરવાની ધમકી આપવાનું હોવાનું સામે આવ્યું છેત્યારે મિત્રએ મિત્રની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરવાનો મામલામાં પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન હતું. જેમાં આરોપીએ કેવી રીતે મિત્રની હત્યા કરી તેમજ મૃતદેહના ટુકડાઓનો કેવી રીતે નિકાલ કર્યો તે સહિતની માહિતી મેળવી હતી.

Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.