ભરૂચ: ન.પા.ના વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારના વિકાસ માટે રૂ.9 કરોડની ગ્રાન્ટ મંજુર !

ભરૂચ નગર પાલિકામાં ૨૦૧૫માં  વોર્ડ નંબર-૬માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારના વિકાસ માટે રૂ.૯ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.

New Update
  • ભરૂચ નગર સેવા સદન દ્વારા વિકાસ કર્યો

  • રૂપિયા 9 કરોડની ગ્રાન્ટ કરાય મંજુર

  • વોર્ડ નંબર 6ના વિસ્તારોમાં કરાશે વિકાસના કાર્યો

  • રસ્તા,પાણી,વીજળીની સુવિધા માટે વપરાશે ગ્રાન્ટ

  • સ્થાનિકોમાં ખુશીનો માહોલ

ભરૂચ નગર પાલિકામાં ૨૦૧૫માં  વોર્ડ નંબર-૬માં સમાવિષ્ટ વિવિધ વિસ્તારના વિકાસ માટે રૂ.૯ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.
ભરૂચ નગર પાલિકામાં વર્ષ-૨૦૧૫માં વોર્ડ નંબર-૬માં વિવિધ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમા મકતમપુર અમે તેની આજુબાજુના વિસ્તારોનો સમાવેશ થાય છે.આ વિસ્તારોમાં  વિકાસ કામો જેવા કે રસ્તા,પાણી લાઈટ માટે રૂ. ૯ કરોડની પાલિકા દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.જે ૯ કરોડની ગ્રાન્ટ આજરોજ મંજુર થઇ છે.જે રકમમાંથી રોડ,રસ્તા અને લાઈટ તેમજ પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ વિભુતીબા યાદવે જણાવ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.