ભરૂચ : ગાયના ધણને નડેલ અકસ્માતના હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા, 7 ગૌ માતાના નિપજ્યા હતા મોત…

ભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા

New Update
  • સેગવા-વરેડીયા ચોકડી NH-48 પર સર્જાયો હતો અકસ્માત

  • ગાયોના ધણ પર મહાકાય ટ્રેલર ફરી વળતાં થયો અકસ્માત

  • 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા7 ગાયને ઇજા

  • સર્જાયેલ અકસ્માતના હૃદય દ્રાવક CCTV ફૂટેજ સામે આવ્યા

  • પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

ભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 7 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાજ્યારે 7 ગાયને ઇજા પહોચી હતીત્યારે હાલ તો ગાયના ધણને નડેલ અકસ્માતમાં હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા છે.

મળતી માહિતી અનુસારવડોદરા તરફ જતી લેનમાં ગાયોનો ઘણ ભરૂચ તરફ આવી રહ્યું હતું. તે સમયે છેલ્લી લેનમાં ચાલતા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં બેકાબુ બનેલું ટ્રેલર ગાયો પર ફરી વળ્યું હતું. ટ્રેલરની ટકકર વાગતા 7 જેટલી ગાયના સ્થળ પર જ મોત થયાં હતાજ્યારે 7 જેટલી ગાયોના પગ તૂટી ગયા હતા. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવતાં ડ્રાઇવર ટ્રેલર મુકી ભાગી ગયો હતો. હાઇવે પર દર્દથી કણસતી ગાયોને જોઇ સૌના હ્રદય દ્રવી ગયા હતા.

તો બીજી તરફઇજાગ્રસ્ત ગાયના ચાલી શકે તેવી સ્થિતિમાં ન હતી. તેમને વધુ સારવાર માટે વડોદરાના પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના હૃદય દ્રાવક CCTV ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં ગાયના ઘણ પર કાળ કેવી રીતે ત્રાટકે છેતે સ્પષ્ટ નજરે પડે છેત્યારે હાલ તો પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.