ભરૂચ : દયાદરા ગામ પાસે હાઇવે ઓથોરિટીની મોટી કાર્યવાહી, નડતરરૂપ દબાણ હટાવવામાં આવ્યા

ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

New Update
  • દયાદરા ગામ પાસે તંત્રની કાર્યવાહી

  • રસ્તાને નડતરરૂપ દબાણો હટાવ્યા

  • ત્રણ વખત નોટિસ આપ્યા બાદ કરાઈ કાર્યવાહી

  • હાઇવે ઓથોરિટી અને તંત્રએ દબાણો હટાવ્યા

  • પોલીસ બંદોબસ્ત સાથે હટાવ્યા દબાણો

ભરૂચ તાલુકાના દયાદરા ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી અને વહીવટી તંત્ર દ્વારા દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ભરૂચ તાલુકાના દયાદરા ગામે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું,દબાણકર્તાઓને તંત્ર દ્વારા અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી.તેમ છતાં દબાણ હટાવવામાં નહીં આવતા આજરોજ નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.મુખ્ય માર્ગને અડચણરૂપ દબાણો પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.

આજરોજ વહેલી સવારે જ પ્રાંત અધિકારીમામલતદાર અને નેશનલ હાઈવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત પટેલ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા.અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી.જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.આજરોજ સાંજ સુધીમાં તમામ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરત પટેલે જણાવી ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.