ભરૂચ: કોલેજ રોડ પર ગટરમાંથી માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત, હવે બન્ને હાથ મળી આવ્યા !

ભરૂચના કોલેજ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે. હવે આ ગટરની સામેની બાજુએ આવેલ ગટરમાંથી મૃતદેહના બે હાથ મળી આવ્યા હતા.

New Update

હજુ ધડ અને 2 પગ મળવાના બાકી, પોલીસના હવામાં બાચકા

ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી શનિવારે સમી સાંજના સમયે માનવ શીશ મળી આવ્યું હતું. શ્વાનો માનવશિશને ચૂંથી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.

આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન રવિવારે સવારના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો.

સામાજિક કાર્યકરો અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવતા આજે સવારે બીજો પણ એક હાથ મળી આવ્યો હતો. આ મામલામાં હવે ધડ અને બંને પગ હજુ સુધી મળી આવ્યા નથી જેની શોધખોળ હજુ ચાલી રહી છે.

આ મામલે ભરૂચ પોલીસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ ગુમ થયેલા લોકોની યાદી તપાસી રહી છે સાથે જ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.

આ મામલામાં હત્યાની આશંકા સેવાય રહી છે. કોઈ વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના અંગોને કાપી ગટરમાં નિકાલ કરાયો હોવાની પ્રબળ શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. 

 

Read the Next Article

ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં સંતોષી વસાહત નજીક 100 ગાયનો મુખ્યમાર્ગ પર અડિંગો, સ્થાનિકોમાં અકસ્માતનો ભય

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.

New Update
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.
ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો જમાવડો મુખ્ય માર્ગો ઉપર જોવા મળી રહ્યો છે.લિંક રોડ ઉપર અયોધ્યા નગર પાસે પણ રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સંતોષી વસાહત પાસે મુખ્ય માર્ગ પર 100 જેટલી ગાયો કોઈ છોડી જતા ટ્રાફિકજામ અને અકસ્માતનો ભય સ્થાનિકો સેવી રહ્યા છે.સાથે સ્થાનિકોએઅકસ્માતમાં કોઈનો જીવ જશે તો પાલિકા સામે માનવ વધનો ગુન્હો દાખલ કરાવવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.