ભરૂચ:જંબુસરના ઘનશ્યામ નગરમાં દિવાળીના દિવસે મારમારીની ઘટનાથી ચકચાર

હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા

New Update

જંબુસરમાં બની દિવાળીમાં મારામારીની ઘટના 

નજીવી બાબતે ટોળાએ કર્યો હિચકારો હુમલો 

માછી સમાજના લોકો દ્વારા ટોળું બનાવી કર્યો હુમલો 

પરમાર પરિવારના ઇજાગ્રસ્તો સારવાર હેઠળ 

પોલીસે કરી હુમલાખોરોની ધરપકડ 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઘનશ્યામ નગરમાં રહેતા પરમાર પરિવાર પર માછી સમાજના લોકોએ ટોળું બનાવીને હુમલો કર્યો હતો,નજીવી બાબતે હિચકારો હુમલો કરવામાં આવતા પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઘનશ્યામ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ સારોદ ગામના રહેવાસી મહેશ કનુભાઈ પરમાર એસ.ટી વિભાગમાં ફરજ બજાવે છે.તેમના પુત્ર વિનીત પરમાર ઉમર વર્ષ 17ને પોતાના મિત્ર સાથે વિમલ ખાવા બાબતે ઝઘડો થયો હતો,જેની રીસ રાખીને માછી સમાજ દ્વારા ટોળું બનાવી મહેશ પરમારના ઘરમાં ઘુસી ઘરમાં તોડફોડ કરી મહેશના ઘરના સભ્યો, એમના પુત્ર વિનીત,તેમની પત્ની લક્ષ્મીબેન,તેમના ભાઈ હસમુખ પરમાર,તેમના સાળા અર્જુન પરમાર પર હિચકારો હુમલો કર્યો હતો.
આ હુમલામાં પરમાર પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા,તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ જંબુસર અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે જંબુસર પોલીસે  આરોપીઓની ધરપકડ કરી એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.