ભરૂચ: ભોલાવ ગ્રામપંચાયત વિસ્તારમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકર્પણ-ખાતમુહૂર્ત

ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 42 લાખના વિકાસકામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • ભોલાવ ગ્રામપંચાયત વિસ્તારમાં વિકાસના કાર્યો

  • રૂ.42 લાખના ખર્ચે વિકાસના કામોનું નિર્માણ

  • લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં રૂ. 42 લાખના વિકાસકામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના ભોલાવ ગામે અવધૂત નગર 1સોસાયટી, સ્ટ્રીટ નં. 7 થી આદિત્ય સોસાયટી તરફ જતા મુખ્ય માર્ગના વિકાસ કાર્યનો ખાતમુહૂર્ત કાર્યક્રમ તેમજ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ તમામ કામોની કુલ અંદાજિત કિંમત રૂ. 42 લાખ જેટલી થાય છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તથા સોસાયટીઓના આગેવાનો તથા રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વિકસાવવી એ અમારી પ્રથમતા છે.સાથે સાથે કોલેજ નજીકથી પસાર થઈ ઝાડેશ્વર તરફ જતા માર્ગને પણ આજુબાજુથી વધારવાની પણ મંજૂરીની વાત ચાલી રહી છે અને ભવિષ્યમાં પણ વધુ વિકાસકામો માટે સતત પ્રયત્નશીલ રહીશું એવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.