ભરૂચ : ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું કરાયું આયોજન

ભરૂચ જિલ્લામાં તારીખ 31 મે 2025 શનિવારના રોજ વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

New Update
  • વિશ્વ તમાકુ મુક્તિ દિવસની ઉજવણીનું આયોજન

  • 31 મેના રોજ છે વિશ્વ તમાકુ મુક્તિ દિવસ

  • ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા કરાયું આયોજન

  • 10 વધુ ક્લિનિક ખાતે યોજાશે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ

  • મોઢાના કેન્સર અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો કરાશે પ્રયાસ   

ભરૂચ જિલ્લામાં તારીખ 31 મે 2025 શનિવારના રોજ વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં વિશ્વ તમાકુ મુક્તિ દિવસ નિમિત્તે 31 મે શનિવારના ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે.

આ વિશાળ કેમ્પ ભરૂચ,અંકલેશ્વર,રાજપારડીઝઘડિયાદહેજ સહિત 10થી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે.120થી વધુ દંત ચિકિત્સક આ અભિયાનમાં સેવા આપશે અને લોકોને મોઢાના કેન્સરથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપશે.ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ પાવન કાર્યમાં સહભાગી થવા અને પોતાના તથા પોતાના પરિવારજનોને તંદુરસ્ત ભવિષ્ય માટે આ મફત તપાસ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.ભરૂચ-અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડો.રૂનીત જૈને જણાવ્યું હતું કેઆ અભિયાનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે જાગૃતિ ફેલાવવાનો અને મોઢાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે.

Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.