ભરૂચ: મનરેગા કૌભાંડમાં BJPના નેતાઓની સંડોવણીના કારણે તપાસ થઈ રહી છે પ્રભાવિત, કોંગ્રેસના આક્ષેપ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાના કારણે તપાસ પ્રભાવિત થઈ રહી હોવાના આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા દ્વારા કરવામાં આવ્યા છે

New Update
  • ચકચારી મનરેગા કૌભાંડનો મામલો

  • પોલીસની સીટ કરી રહી છે તપાસ

  • તપાસ પ્રભાવિત થઈ રહી હોવાના આક્ષેપ

  • કોંગ્રેસે આક્ષેપ કર્યા

  • નિષ્પક્ષ તપાસની કરાય માંગ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાના કારણે તપાસ પ્રભાવિત થઈ રહી હોવાના આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા દ્વારા કરવામાં આવ્યા છે
ભરૂચમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે જેમાં જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના 58 જેટલા ગામોમાં રૂપિયા 7.30 કરોડનું કૌભાંડ આચરાયું  હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે આ મામલામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાનું નિવેદન સામે આવ્યું છે. સંદીપ માંગરોળાએ આ અંગે જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલા કેટલાક મોટા નેતાઓની સંડોવણીને કારણે તપાસ પ્રભાવિત થઈ રહી છે. હાલમાં તપાસમાં ભ્રમ અને ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવે અથવા રિટાયર્ડ જજની અધ્યક્ષતા હેઠળ તપાસ કરવામાં આવે, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે  એસ.આઈ. ઘારિયાની નિમણૂક કરવામાં આવે, જે તટસ્થ અને બાહોશ એડવોકેટ છે સહિતની માંગ કરવામાં આવી છે.સંદીપ માંગરોળાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.
Latest Stories