ભરૂચ: મનરેગા કૌભાંડમાં BJPના નેતાઓની સંડોવણીના કારણે તપાસ થઈ રહી છે પ્રભાવિત, કોંગ્રેસના આક્ષેપ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાના કારણે તપાસ પ્રભાવિત થઈ રહી હોવાના આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા દ્વારા કરવામાં આવ્યા છે

New Update
  • ચકચારી મનરેગા કૌભાંડનો મામલો

  • પોલીસની સીટ કરી રહી છે તપાસ

  • તપાસ પ્રભાવિત થઈ રહી હોવાના આક્ષેપ

  • કોંગ્રેસે આક્ષેપ કર્યા

  • નિષ્પક્ષ તપાસની કરાય માંગ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાના કારણે તપાસ પ્રભાવિત થઈ રહી હોવાના આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા દ્વારા કરવામાં આવ્યા છે
ભરૂચમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે જેમાં જંબુસર આમોદ અને હાંસોટ તાલુકાના 58 જેટલા ગામોમાં રૂપિયા 7.30 કરોડનું કૌભાંડ આચરાયું  હોવાની વિગતો સપાટી પર આવી હતી. પોલીસે આ મામલામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોળાનું નિવેદન સામે આવ્યું છે. સંદીપ માંગરોળાએ આ અંગે જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલા કેટલાક મોટા નેતાઓની સંડોવણીને કારણે તપાસ પ્રભાવિત થઈ રહી છે. હાલમાં તપાસમાં ભ્રમ અને ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવે અથવા રિટાયર્ડ જજની અધ્યક્ષતા હેઠળ તપાસ કરવામાં આવે, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે  એસ.આઈ. ઘારિયાની નિમણૂક કરવામાં આવે, જે તટસ્થ અને બાહોશ એડવોકેટ છે સહિતની માંગ કરવામાં આવી છે.સંદીપ માંગરોળાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.
Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.