ભરૂચ : શું સુકાઈ રહયા છે નર્મદા નદીનાં જળસ્તર! નદીમાં પાણીનું સ્તર ઘટતા બેટ સમાન દ્રશ્યોથી ચિંતા

ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે.ગરમીની તીવ્રતા વધતા,નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાષી રહ્યું છે.

New Update
  • માઁ રેવાનાં સુકાતા નિર્મળ જળ

  • નર્મદા નદીમાં ઘટી રહ્યો છે પાણીનો પ્રવાહ

  • નદીમાં ઉપસી આવી બેટ સમાન જમીન

  • ઉનાળાની ગરમીની અસર કે અન્ય કોઈ કારણ!

  • ડેમમાંથી માર્યાદિત પાણીની આવકથી ઘટ્યા જળસ્તર

ભરૂચમાં ઉનાળાની શરૂઆત સાથે જ નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને નદી પરના બ્રિજના બંને છેડે પાણીમાં બેટ સમાન જમીન નજરે પડતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

ભરૂચમાં બંને કાંઠે વહેતી નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.જાણવા મળ્યા મુજબ હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે,અને સાથે સાથે ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે.ગરમીની તીવ્રતા વધતા,નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાષી રહ્યું છે.

નર્મદા નદી માત્ર ભૌગોલિક નદી જ નહીંપણ લાખો ધાર્મિક લોકો માટે શ્રદ્ધાનાં પ્રતીક સમાન છે. એવી માન્યતા છે કે માઁ નર્મદાનાં દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છેપરંતુ આજે નદી જ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે,અને આ બાબત સંપૂર્ણ સમાજ માટે ચિંતાજનક છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં પાણીની તંગી વધશે તેમજ નર્મદા જેવી પવિત્ર નદી પર નિર્ભર લોકજીવન પર પણ સંકટ ઉભું થઈ શકે છે.

નદી બચાવોજીવન બચાવો જેવા સૂત્રો હવે માત્ર અભિયાન સુધી સીમિત રહી ગયા છે. ત્યારે જરૂરી છે કે સરકાર તેમજ સામાન્ય જનતા બંને મળીને નિર્મળ અને નિરંતર નર્મદા નદી વહેતી રહે તે માટે યોગ્ય કામગીરી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ નર્મદા સરોવર ડેમમાંથી રોટેશન મુજબ પાણી છોડવામાં ન આવતા નદીમાં બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા,અને વર્તમાન સમયમાં પણ ભૂતકાળનું પુનરાવર્તન થઇ રહ્યું હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.