ભરૂચ : શું સુકાઈ રહયા છે નર્મદા નદીનાં જળસ્તર! નદીમાં પાણીનું સ્તર ઘટતા બેટ સમાન દ્રશ્યોથી ચિંતા

ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે.ગરમીની તીવ્રતા વધતા,નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાષી રહ્યું છે.

New Update
  • માઁ રેવાનાં સુકાતા નિર્મળ જળ

  • નર્મદા નદીમાં ઘટી રહ્યો છે પાણીનો પ્રવાહ

  • નદીમાં ઉપસી આવી બેટ સમાન જમીન

  • ઉનાળાની ગરમીની અસર કે અન્ય કોઈ કારણ!

  • ડેમમાંથી માર્યાદિત પાણીની આવકથી ઘટ્યા જળસ્તર

ભરૂચમાં ઉનાળાની શરૂઆત સાથે જ નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને નદી પરના બ્રિજના બંને છેડે પાણીમાં બેટ સમાન જમીન નજરે પડતા ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થવાના એંધાણ વર્તાય રહ્યા છે.

ભરૂચમાં બંને કાંઠે વહેતી નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.જાણવા મળ્યા મુજબ હાલમાં સરદાર સરોવર ડેમમાંથી મર્યાદિત પાણીની આવક છે,અને સાથે સાથે ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે.ગરમીની તીવ્રતા વધતા,નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાષી રહ્યું છે.

નર્મદા નદી માત્ર ભૌગોલિક નદી જ નહીંપણ લાખો ધાર્મિક લોકો માટે શ્રદ્ધાનાં પ્રતીક સમાન છે. એવી માન્યતા છે કે માઁ નર્મદાનાં દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છેપરંતુ આજે નદી જ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે,અને આ બાબત સંપૂર્ણ સમાજ માટે ચિંતાજનક છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં પાણીની તંગી વધશે તેમજ નર્મદા જેવી પવિત્ર નદી પર નિર્ભર લોકજીવન પર પણ સંકટ ઉભું થઈ શકે છે.

નદી બચાવોજીવન બચાવો જેવા સૂત્રો હવે માત્ર અભિયાન સુધી સીમિત રહી ગયા છે. ત્યારે જરૂરી છે કે સરકાર તેમજ સામાન્ય જનતા બંને મળીને નિર્મળ અને નિરંતર નર્મદા નદી વહેતી રહે તે માટે યોગ્ય કામગીરી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ નર્મદા સરોવર ડેમમાંથી રોટેશન મુજબ પાણી છોડવામાં ન આવતા નદીમાં બેટ જેવા દ્રશ્યો સર્જાયા હતા,અને વર્તમાન સમયમાં પણ ભૂતકાળનું પુનરાવર્તન થઇ રહ્યું હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.